Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 95
________________ સારાં કામમાં એક્બીજાં-એક્બીજાંની સરસાઈ કરી રહ્યાં. કામ ઝડપથી ચાલતું હતું. ક્યાંક ગર્ભગૃહ તૈયાર થતાં હતાં. ક્યાંક રંગમંડપ રચાતા હતા. તોરણ, બારસાખ ને થાંભલા જાણે મીણનાં બન્યાં હતાં. અપૂર્વ નક્શી ઊતરી રહી હતી. ગુંબજ અને પરકમ્માઓમાં તો કારીગરીની કમાલ થઈ હતી. કારીગર તો એના એ હતા, પણ અહીં જે કલા જન્મતી હતી તે આજ સુધી અપૂર્વ હતી. અરે ! વસ્તુ તો એની એ હોય, પણ યોજક ઉપર મોટો આધાર છે. એ કાળમાં વિમળશાહ જેવો મોટો કોઈ કલાનો યોજક નહોતો. “અરે ! અહીં એક ભાવ-ચિત્ર આલેખો.” વિમળશાહે શિલ્પીઓને ક્યું, “ભરત અને બાહુબલિનું યુદ્ધ આલેખો. રાજ માટે ભાઈ-ભાઈ લડ્યા. રાજલક્ષ્મી કેવી અકારી છે ? – છેવટે બાહુબલિને એનું ભાન થયું. એમણે રાજલક્ષ્મી છાંડીને ધર્મલક્ષ્મી સ્વીકારી. માગ્યું ત્યારે ન મળ્યું. ત્યાગ્યું ત્યારે સર્વ મળ્યું !..” - શિલ્પીઓએ તો આખી કથા ઉતારી. જોનારનાં હૈયાં ભાવથી નાચી ઊઠ્યાં. “અને સોળ વિદ્યાદેવીઓને ન ભૂલતા. રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજાકુશી, અપ્રતિચકા (ચશ્ર્વરી) પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્ત્રા, મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અછુપ્તા, માનસી ને મહામાનસી.” શ્રીદેવી બધાં નામ ગણાવી રહી. એ નામમાં બ્રેઈ સામર્થ્ય હોય તેવો ભાસ થઈ રહ્યો . “અને નાથ !” શ્રીદેવીને કોઈ ભાવ-પ્રસંગ યાદ આવી રહ્યો હોય તેમ બોલી, “પેલો આર્દ્રકુમારવાળો પ્રસંગ જરૂર ચિતરાવજો. મને એ કથા ગમે છે. ક્વો એ ઉપદેશ ! હાથીના પગે બાંધેલી લોઢાની સાંક્ળ તોડવી સહેલી છે, પણ સંસારનાં સૂતરના તાતણે બંધાયેલાં સ્નેહબંધનો છેદવાં ભારે કઠિન.” “વાહ ! ભારે સુંદર પ્રસંગ યાદ ર્યો. અરે, આર્દ્રકુમારની આખી કથા આલેખો. ક્યાણ છે તો આમાં જ છે. વિમળશાહે કહ્યું ને આગળ બોલ્યા : “ભગવાન નેમનાથ ને મહાસતી રાજુલાની કથા ન ભૂલતા. બંનેનાં મન મળ્યાં પણ તન ન મળ્યાં. રાજીવનમાં હિંસા ને પ્રતિહિસા જોઈ ભૌતિક રાજ છોડી એ ગિરનાર ગયાં, ને આત્મિક રાજ મેળવ્યું, જગતમાં આવું જોડું ક્યાં મળવાનું છે ?” એક છતમાં શ્રી નેમિનાથ તીર્થંકર રાજિમતી નામની યાદવ મારીને ૮૦ × મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106