Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
“શા માટે ન લઉં ? મારા બાપઘાએ આ વાવ બંધાવેલી.” “એમણે તારા દાણ માટે કંઈ લેખ લખેલો ખરો ?” “લેખની શી જરૂર? હું એનો વારસ છું; આખું ગામ જાણે છે !”
“વારુ, લે આ પૈસો...”ને વિમળશાહે ખિસ્સામાંથી રૂપાનાણું કાઢીને છોકરાના હાથમાં મૂક્યું. છોકરો રૂપાનાણું જોઈ નાચી ઊઠ્યો.
રાતનો પડદો પૃથ્વી પર પડ્યો હતો. પાણી પીને બંને જણાં ફરી ઘોડે ચઢ્યાં. અંધારી રાતમાં થોડી વારમાં અદૃશ્ય થઈ ગયાં.
ગબ્બરના ડુંગરાનો ગોખ ફરી ઝળહળી ઊઠ્યો. માતાની સામે વિમળશાહ અને શ્રીદેવી હાથ જોડીને ઊભાં રહ્યાં.
માના નામની સાત જયગર્જના કરી. જાણે માની સવારીનો સાવજ ગર્યો. સાત થાપા જડ્યા. સાત શ્રીફળ વધેર્યા.
સાતમે શ્રીફળ માએ હોંકારો કર્યો. ગગનમંડળ જાણે થરહરી ગયું. આ તો શક્તિમાનું આવાહન ! અવાજ આવ્યો :
“ક વત્સ! બંને જણાં આવ્યાં? બંને જણાંએ વિચાર કર્યો ? કહો, શું માગવું છે ?”
“માડી ! શ્રીદેવી જ કહેશે.” વિમળશાહે કહ્યું. “શું છેલ્લી ઘડીએ મન શંકામાં પડ્યું છે ?” માનો સ્વર ગાજ્યો.
“ના મા ! તારા વિષે મનમાં જરાય શંકા નથી. વિમળશાહની બાંહામાં તારું બળ છે. પણ વર માગવા વિષે વિચાર થાય છે. કાં શ્રીદેવી ?” શ્રીદેવી સામે જોતાં વિમળશાહે કહ્યું.
માડી ! તું તો અંતર્યામી છે. મારગમાં વાવને જનહિત માટે બંધાવનારનો પૌત્ર મળ્યો. એને જોઈને પુત્રેચ્છાથી મન પાછું પડ્યું છે.”
“શ્રીદેવી ! યશ એ જ આપણું સંતાન. પુત્ર પૂર્વજોની ધર્તિ ઉજાળશે કે કલંક લગાડશે, જાણે ? પ્રભુપ્રાસાદ ખડા હશે તો એ પુણ્યતીર્થે જગત તરશે.”
બંને જણાં ફરી વિચારમાં ડૂબી ગયાં.
“વિચારકળે શંકા સ્થાને; આચારકાળે શંક અસ્થાને. માગી લો, મારાં બાલુડાં, જે જોઈતું હોય તે !”
મહાશક્તિને પણ પોતાનાં ઉપાસકેની દરિયાવદિલી હૈયે સ્પર્શી ગઈ હતી. ૭૪ મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106