Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ વિમળશાહના આગમનની એને ખબર ન પડી. એ બિલકુલ પાસે આવ્યા ત્યારે શ્રીદેવીને ભાન થયું. “દરબારમાં જઈ આવ્યા ?” શ્રીદેવીએ ધીરેથી પૂછ્યું. “શ્રીદેવી ! આજે તું ઉદાસ કેમ જણાય છે ? શું મારું લડાઈમાં જવું તને નથી ગમતું ?” વિમળશાહે હસતાં-હસતાં પ્રશ્ન પૂછ્યો. નાથ ! હું સ્નેહ અને કર્તવ્યના વિચારમાં ડૂબી હતી. સ્નેહ સ્વામીથી વિખૂટા થવાની ના પાડે છે, જ્યારે વ્ય બીજી જ વાત કરે છે. મારે બેને માન આપવું ?” શ્રીદેવીએ પોતાની ચિંતાનો ખુલાસો કર્યો. દેવી ! કર્તવ્યમાં જ સ્નેહ આવી જાય છે. સ્નેહ એવો ન હોવો જોઈએ, જે માણસને કર્તવ્યને માર્ગે જતો રોકી રાખે.” “પણ સ્નેહીને મૃત્યુના મુખમાં જવાની રજા કેમ આપી શકાય ?” શ્રીદેવીએ પ્રશ્ન કર્યો. “દેવી ! શાણી થઈને કેમ ભૂલ કરે છે? જો સ્નેહને ખાતર માતા પુત્રને કર્તવ્યમાર્ગથી રોકશે, બહેન ભાઈને અટકવશે, પત્ની પતિને બેડરૂપ બનશે તો જગત કેવળ સ્વાર્થની ભઠ્ઠી બની જશે.” “આપની વાત બરાબર છે. સ્નેહ જો માણસને કર્તવ્યમાં જતો રોકે તો એ સ્નેહ નથી, કેવળ ઘેલછા છે. પત્ની પુરુષને બેડરૂપ ન બને, બોજા સ્વરૂપ ન થાય, તો જ એ જીવન ઉત્તમ ગણાય. મારા નાથ ! આપ સુખેથી રણે સિધાવો !” વિમળશાહે ઉત્સાહમાં આવી શ્રીદેવીને આદર્શ પત્ની વિશેની પોતાની ભાવના વર્ણવતાં કહ્યું : “દેવી ! જ્યારે રણમાં પડેલા પતિના ઘા ઉપર હસતે મુખડે પાટા બાંધનારી પત્નીઓ હશે, નિરાશ થતા પતિમાં કર્તવ્યની ઝળહળતી જ્યોત પ્રગટાવનારી સતીઓ પાકશે, એ દિવસે જગત જીતવું સહેલું પડશે !” “સાચું છે, હૃદયને જીત્યા પછી જગત જીતવું સહેલું છે. પણ મારી એક પ્રાર્થના સ્વીકારશો ?” શ્રીદેવીએ નમ્ર મુખે કહ્યું. “દેવી ! પ્રાર્થના નહિ પણ આજ્ઞા ો ! જ્યાં સાચો સ્નેહ છે ત્યાં પ્રાર્થના કરો કે આજ્ઞા કરો, બન્ને સરખું છે. હો, શું કહેવા માગો છો ?” સફળ સેનાપતિ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106