Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ એક દિવસ એણે અભિમાનમાં આવી જઈ સભામાં કહ્યું : “ભીમદેવની હું ખબર લઈશ.” રાજા ભીમદેવના ગુપ્તચરોએ આ સમાચાર પાટણ પહોંચાડ્યા. મહારાજાને બહુ રોષ ચઢ્યો ને પોતાની આણ માનવા માટે અથવા લડાઈને માટે તૈયાર થવા હમીરને વાવી દીધું. પણ હઠીલો હમીર માને ? એને પોતાની સેનાનું ખૂબ અભિમાન હતું. એણે સંદેશો લાવનારને હડધૂત કરીને કાઢી મૂક્યો. સંદેશવાહકે પાટણ આવી બધા સમાચાર કહ્યા. રાજા ભીમદેવની આંખોમાંથી અંગારા વર્ષવા લાગ્યા. એમણે તરત જ લડાઈની તૈયારીઓ કરવાનો હુક્મ આપ્યો. સેનાપતિ વિમળશાહને પણ આમાં સાથે જવાનું હતું. વિમળશાહનું સૈન્ય બહુ બળિયું ગણાતું. તેમણે પોતાના સૈન્યને ઉત્તમ રીતે કેળવ્યું હતું. બધા વિમળશાહના એક જ અવાજે જાન ફના કરી નાખે તેવા સ્વામીભક્ત હતા. પ્રયાણને આડી એક જ રાત બાકી હતી. પાટણને માથે શુક્લ પક્ષનો ચંદ્ર અજવાળાં વેરવા લાગ્યો, છતાં પાટણ એ ચાંદની જોવા નવરું નહોતું. સૌ આવતીકાલે પ્રાત:સમયે થનારુ યુદ્ધપ્રયાણ માટે તૈયાર થઈ રહ્યા હતા. યુવાનો શસ્ત્રો તૈયાર છે કે નહિ, તેની તપાસ કરતા હતા. ઘરડી ડોશીઓ પોતાના પુત્રોને તૈયાર થતા જોઈ આંખમાં આંસુ સાથે આશીર્વાદો આપ્યા કરતી ને ભગવાનને પ્રાર્થના કર્યા કરતી. નવવધૂઓ પોતાના સ્વામીની રક્ષા ખાતર ઇષ્ટદેવની પ્રાર્થના કરતી હતી. નાનાં બાળકો આ ધમાલનો અર્થ ન સમજતાં આડાંઅવળાં ફરતાં નકામા પ્રશ્નો પૂછી રહ્યાં હતાં. આખું પાટણ આજે જાગતું હતું. વિમળશાહ મહારાજા ભીમદેવની અંતિમ સલાહ લઈ ઘેર આવ્યા. ઘરમાં શ્રીદેવીને ન દેખતાં અગાસીમાં હશે એમ સમજી ઉપર ગયા. શ્રીદેવી અગાસીના રવેશને અઢેલી ચંદ્ર તરફ એકીટશે જોઈ રહી હતી; ૧૮ * મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106