Book Title: Mantrishwara Vimal
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 55
________________ ખીચડીમાં છે. કદાચ ગાય રતન ગળે તો શું કરીએ ? એ વાત પછી.” મહારાજા હસ્યા અને ધીમેથી મૂળ વાત ઉપાડી : “વિમળશાહ! હું બીજી ચિતામાં હતો. ચંદ્રાવતીના રાજા ધંધુકની ઉદ્ધતાઈ મને ખટી રહી છે. એને જ્યાં સુધી શિક્ષા ન કરું ત્યાં સુધી મારા જીવને આરામ નથી. એ ચિંતામાં મારું મન વ્યગ્ર હોવાથી રાજસભાની વાત ઉપર મારું પૂરતું લક્ષ નહોતું.” મહારાજ ! અમારા જેવા સેવકો જીવતા હોય ત્યાં સુધી આપને શી ચિંતા ?” “વિમળશાહ, પણ કોણ તૈયાર થાય છે ?” પોતાના સ્વભાવ પ્રમાણે વિમળશાહે કહ્યું : “આજ્ઞા હોય તો હું તૈયાર છું.” “વિમળશાહ, બસ, આ જવાબ જ મને જોઈતો હતો. જાઓ અને ફતેહ કરો !” મહારાજાએ પીઠ થાબડી. વિમળશાહે નમન કરી આજ્ઞા માથે ચઢાવી. સૌ સૌને જોઈતું મળ્યું હતું. વિમળશાહને હવે પાટણમાં વસવું ગમતું નહોતું. મહારાજાને જે વાણિયાનાં હિમત અને પરાક્રમ ડરાવી રહ્યાં હતાં, તે દૂર થતો હતો; મંત્રીમંડળ માટે વચ્ચેથી કંટો નીકળી જતો હતો. ડંકનિશાન ગડગડ્યાં. પોતાના ચુનંદા સવાર સાથે વિમળશાહ ચંદ્રાવતીના રાજા ધંધુકાજને જીતવા ઘોડે ચઢ્યા. સાથે માનામાં શ્રીદેવી પણ હતાં. વિમળશાહે અશ્રુભીની આંખે પાટણને છેલ્લી સલામ કરી. પાટણવાસીઓનાં હૈયાંમાંથી એ દહાડે ઊના નિ:શ્વાસ નીકળતા હતા. વિમળશાહ ખરેખર ધંધુકરાજ પર વિજય કરવા જાય છે કે મહારાજા તેમને દેશવટો દે છે એ પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. ૪૦ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106