________________
ધર્મક્રિયા ઝડપથી ?
શ્વાસોચ્છવાસ ઝડપથી ચાલવા લાગે એ હકીકત જ મને ભયભીત કરી દેવા પર્યાપ્ત છે. શરીરમાં લોહી ઝડપથી ફરવા લાગે એ વાસ્તવિકતા સાચે જ શરીરની તંદુરસ્તી માટે જોખમી છે એ બાબતમાં મને કોઈ જ શંકા નથી.
જવાબ આપો. જે પરિબળોથી આપણે આપણા પરલોકને સદ્ધર બનાવી દેવાનો છે એ પ્રભુનાં દર્શન આપણે ઝડપથી પતાવતા હોઈએ ત્યાં આપણને આપણા આત્માનું અહિત થઈ રહ્યાનો ખ્યાલ આવે છે ખરો? તારક એવી ધર્મક્રિયાઓ ઝડપથી પતાવી દેતાં કોઈ વેદના અનુભવાય છે ખરી? સંપતિની લ્હાયમાં ઉપકારી માતા-પિતા પાસે પણ બેસવાનો સમય નથી રહેતો એનો કોઈ ત્રાસ થાય છે
ખરો?