________________
દોષ જાહેર થઈ જાય : આપણે પ્રસન્ન કે નારાજ ?
શરીરમાં છુપાઈને પડ્યો હતો રોગ, કોઈને ય નહોતી એની જાણ અને અચાનક એક વૈદરાજે એના ચહેરાને જોઈને એના શરીરમાં છુપાઈને પડેલા રોગની એને જાણ કરી દીધી. એના આનંદનો પાર ન રહ્યો. એનું મસ્તક વૈદરાજ પ્રત્યેના અહોભાવથી ઝૂકી ગયું. જવાબ આપો. મનમાં કોક એવો દોષ પડ્યો છે કે જેની જાણ આપણા સિવાય બીજા કોઈને ય નથી. અને અચાનક કોક વ્યક્તિ આપણા એ દોષને પકડી પણ પાડે છે અને અનેકની વચ્ચે જાહેર પણ કરી દે છે. સાચું બોલો. એ વખતે આપણાં મનની સ્થિતિ શી? દોષ જાહેર થઈ ગયો એ બદલ આપણે પ્રસન્ન? દોષ પકડી પાડનાર પ્રત્યેના આપણાં હૈયાનો સદ્ભાવ અકબંધ?
90