________________
મન ભરવું છે કે આત્માને બચાવી લેવો છે ?
ભૂખસખત લાગી હતી અને યુવકની નજર રસ્તાના નાક ઊભી રહેલ પાઉંભાજીની લારી પર પડી. એની આંખમાં ચમક આવી ગઈ. પગ એણે વાળ્યા એ લારી તરફ અને પેટ ભરીને એણે ખાઈ લીધા પાઉં-ભાજી! પણ કલાક જ પસાર થયો અને શરૂ થઈ ગયા અને ઝાડાઊલટી. દાખલ થઈ જવું પડ્યું અને હોંસ્પિટલમાં! જવાબ આપો.
પેટ ભરાઈ જાય પરંતુ સ્વાસ્થ્ય બગાડી નાખે એવાં દ્રવ્યોને જો પેટમાં પધરાવાય નહીં તો મન ભરાઈ જાય પરંતુ આત્માની પવિત્રતાને રફેદફે કરી નાખે, સુસંસ્કારોની હોળી કરી નાખે, સદ્ગુણોનું દેવાળું કાઢી નાખે એવાં પરિબળોના શરણે જવાય ખરું ? ટી.વી. પર આવતાં અતિ હલકટ કોટિનાં દશ્યો એ મનને ભરીને આત્માને બગાડી નાખતાં પરિબળો છે એનો ખ્યાલ ખરો ?
૭૬