Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ ધર્મકાર્યો : લગ્નના વરઘોડામાં ચાલતા જાનૈયાની જેમ વરઘોડો લગ્નનો હતો. પબ્લિક ચિક્કાર હતી પણ જાનૈયાઓ બધા જ ધીમે ધીમે અને પ્રસન્નતાપૂર્વક એમાં ચાલતા હતા. પ્રસંગ સ્મશાનયાત્રાનો હતો. પબ્લિક એમાં ય ઘણી હતી પરંતુ ડાઘુઓ સહિત સહુ એમાં ઉતાવળે ઉતાવળે અને ઉદ્વિગ્નતાપૂર્વક ચાલતા હતા. જવાબ આપો. પરોપકારના કે ધર્મારાધનાના, ત્યાગના કે સેવાના જીવનમાં જે પણ કાર્યો આપણે કરીએ છીએ એ બધાં જ કાર્યો લગ્નના વરઘોડામાં ચાલતા જાનૈયાઓની જેમ જ આપણે કરીએ છીએ અને સ્વાર્થના કે પાપોનાં જે પણ કાર્યો આપણા જીવનમાં ચાલુ છે એ બધાં જ કાર્યો સ્મશાનયાત્રામાં સામેલ ડાઘુઓની જેમ જ થાય છે એમ કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા?

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100