________________
પાપ સાથેનો વ્યવહાર રૂક્ષ ખરો ?
ધરમાં દાખલ થયેલ વ્યક્તિ ભલે સર્વથા અાણી હતી પરંતુ એણે પહેરેલાં કપડાં એટલા બધા આકર્ષક હતાં કે સહજરૂપે જ એની પાછળ પાગલ બની જવાનું મન થઈ જાય, એની ભરપુર આગતા સ્વાગતા કરી તો ખરી પરંતુ એક ક્લાક બાદ મિત્રના આવેલ ફોન પરથી ખ્યાલ આવ્યો કે આવનાર આગંતુક બીજું કોઈ જ નથી, પરંતુ પપ્પાના ૧ કરોડ રૂપિયાના જેણે દબાવી દીધા હતા એ દગાબાજ ભાગીદાર જ છે.
એ જ પળે એના પ્રત્યેના હૈયાનાં અંત ઓસરી ગયા. ‘ક્યારે એ ઘરમાંથી રવાના થઈ જાય” એ વિચારોમાં મન રમવા લાગ્યું.
કબૂલ, આકર્ષક કપડાંનાં કારણે પાપ પ્રત્યે હૈયું કૂણી લાગણી ધરાવી રહ્યું છે પરંતુ અનંતજ્ઞાનીઓના આ વચન પર આપણને શ્રદ્ધા છે ખરી કે જે પાપને તે તારું દિલ આપી દીધું છે એ પાપે જ તો તારા આત્માના જનમોજનમ બરબાદ કરી દીધા છે. તારા તમામ દુઃખો એની સાથેની તારી પ્રીતને તો આભારી છે !’ જો આ શ્રદ્ધા આપણાં હૈયામાં સ્થિર છે જ એવું આપણને લાગતું હોય તો એની એક જ પરીક્ષા છે. પાપ સાથેનો આપણો વ્યવહાર રૂક્ષ છે
ખરો?
૫૦