Book Title: Jina Mahattva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની ‘જિનમહત્ત્વદ્ધાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકાર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩ર અર્થગંભીર શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાáિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ ધાત્રિશિકામાં અન્ય દેવો કરતાં તારક તીર્થકર શ્રી જિનેશ્વરદેવો કઈ રીતે મહાન છે, તેની સ્વ-પરદર્શનશાસ્ત્રોનાં કથનો અને યુક્તિઓ દ્વારા વિસ્તૃત છણાવટ કરેલ છે. તાર્કિક શિરોમણિ શ્રી સમસ્તૂભદ્રાચાર્યકૃત “આપ્તમિમાંસા' ગ્રંથનો સંવાદી શ્લોક બતાવીને ગ્રંથકારશ્રીએ દર્શાવ્યું કે માયાવીની રચના જેવા ત્રણ ગઢ, ઇન્દ્રધ્વજ, ચામર, છત્ર વગેરે બાહ્ય વૈભવ દ્વારા ભગવાનની મહત્તા નથી, પરંતુ ભગવાનનું સંવાદી ન્યાયયુક્ત વચન હોવાથી ભગવાન મહાન છે. આવા મહાનતા માટેના ગ્રંથકારશ્રીએ દર્શાવેલા કેટલાક પદાર્થો ક્રમશઃ વિચારીએ – ભગવાનની મહાનતા (૧) અંતરંગ ગુણસંપદાથી મહત્ત્વ ને ન્યાયસંગત સંવાદી વચનથી અને કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવના ગુણોથી ભગવાનની મહાનતા. (૨) બાહ્ય સંપદાથી મહત્ત્વ – ૧૦0૮ લક્ષણયુક્ત દેહ, મન વચન-કાયાના ઉત્તમ યોગો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 178