Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 28
________________ [ જાણ્યું અને જોયું જતાં ત્રીજું સ્ટેશન ઉરૂલી આવે છે, અને સ્ટેશનથી માત્ર પાંચ મિનિટના રસ્તે, આ આશ્રમ આવેલ છે. અત્યારે આશ્રમમાં લગભગ ૪૦ દરદીઓ રહી શકે તે જાતની વ્યવસ્થા છે. આશ્રમમાં ગૌશાળાની વ્યવસ્થા છે, અને તેની સરસ દેખરેખ રાખવામાં આવે છે. આશ્રમમાં એક ડૉકટરની વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ દવા અગર ઈજેકશનને બિલકુલ ઉપગ કરવામાં આવતો નથી. દરદીઓને આશ્રમ તરફથી ચલાવવામાં આવતા રસોડેથી ડોકટરની સલાહ અને સૂચના અનુસાર તૈયાર રસોઈ આપવામાં આવે છે. દરદીઓના ખોરાકમાં મુખ્યત્વે તે દૂધ, દહીં, સુપ વગેરે આપવામાં આવે છે. ચા, કૉફી, કોકે, તમાકુ, તેમ જ આવા બીજા પદાર્થોને ઉપગ આશ્રમમાં કરવામાં આવતા નથી. દૂધ અને ફલાહાર કે રસાહાર પર રાખવામાં આવતા દરદીઓનાં માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા આશ્રમ તરફથી કરી આપવામાં આવે છે. સવારે અને સાંજે બંને વખત પ્રાર્થના થાય છે, અને તેમાં લગભગ તમામ આશ્રમવાસીઓ તથા દરદીઓ હાજરી આપે છે. આશ્રમમાં એક પુસ્તકાલયની પણ વ્યવસ્થા છે. આશ્રમમાં ટબસ્નાન, કટિસ્નાન, વરાળસ્નાન, માલીશ વ. બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. આશ્રમના ડોકટર હમેશાં એક વખત તમામ દરદીઓની મુલાકાત લઈ જાય છે, અને દરદી વિભાગમાં વ્યવસ્થાપક દરદીઓની ખાસ સંભાળ અને કાળજી રાખે છે. સાધારણ રીતે ખેરાક પર રહેતાં દરદીઓને માસિક ખર્ચ રૂ. ૭૫ થી ૮૦ આવે છે. જ્યારે દુગ્ધાહાર, ફલાહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164