Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha
View full book text
________________
૧૬ ]
( [ જાણ્યું અને જોયું આપત્તિના પ્રસંગે આપણે જરૂર તેમને પ્રાર્થના કરી શકીએ કે હે દેવ ! હું જે ભેગવી રહ્યો છું તે મારા પિતાના જ કર્મોનું ફળ છે. ઉદયમાં આવેલા કર્મના એ ફળને હવે આ કે શૈદ્ર ધ્યાન વિના સમભાવ અને શાંતિ પૂર્વક ભોગવવાની મને શક્તિ અને બુદ્ધિ આપો, કે જેથી નવાં કર્મ બાંધ્યા સિવાય મારા કર્મની નિર્જરા થઈ શકે.
જીવલેણ માંદગીને આપણે આફત અને આપત્તિરૂપ માનીએ છીએ, પરંતુ તેમાંથી પણ માનવી બોધપાઠ લઈ શકે છે. દીનબંધુ એન્ડ્રુઝે એક ઠેકાણે લખ્યું છે કે : “શાંતિ નિકેતન હું હતો ત્યારે મને કોલેરા થયો હતો. હું મૃત્યુની એકદમ નજીક પહોંચી ગયો હતો, એમ જ કહે કે ઘણું દિવસો સુધી મૃત્યુનાં બંધ બારણા પર પડી રહ્યો. એ સમયે હું અંતર્મુખ બની આત્માની શાંતિને અદ્ભુત પાઠ ખુદ પરમ પિતા પાસેથી શીખે.”
દુઃખ, આઘાત કે વેદનાની લાગણીથી ગભરાવાનું કે ભય પામવાનું કશું કારણ નથી. માનવી પર દુઃખના ઘા પડે. તેનું કારણ તેનામાં કાંઈક ખરાબ તત્ત્વ છે એમ માનવું યથાર્થ નથી. એકાને એમાં પાપનો ઉદય છે એમ પણ માની શકાય નહિ. માણસ જ્યારે અનિત્ય, નાશવંત અને અશાશ્વત વસ્તુની પાછળ દોડે છે, ત્યારે આ વાતનું તેને ભાન કરાવવા અને તેની સાન ઠેકાણે લાવવા આવું બધું બને તે તેમાં બેટું શું છે? તેથી જ ખલિલ જિબ્રાને કહ્યું છે કે: “તમારા જ્ઞાન ઉપર બાઝી ગયેલું જડત્વનું પડ દૂર કરવા માટે, તમને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164