Book Title: Janyu ane Joyu
Author(s): Mansukhlal T Mehta
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 136
________________ ૧૧૦ ] [ જાણ્યુ અને જોયું શાલિભદ્રની સિદ્ધિના મૂળમાં તેની દાનવૃત્તિ કારણરૂપ હતી. પૂર્વજન્મમાં જ્ઞાન અને સંસ્કાર ન હેાવા છતાં, માતા પાસે રડી રડીને ખાવા માટે તૈયાર કરાવેલી ખીર, જરાએ આંચકે ખાધા સિવાય મુનિરાજના પાત્રામાં ઉલ્લાસ અને ભાવપૂર્વક વહેારાવી દીધી હતી. રિદ્ધિ કે સિદ્ધિ પ્રાપ્ત કરવા અથે તેણે આ ક્રિયા કરી ન હતી. પણ ભક્તિભાવે તેણે આ કાર્ય કર્યું અને તેના ફળરૂપે રિદ્ધિ-સિદ્ધિ ન ઇચ્છી હાવા છતાં બીજા જન્મમાં તેને તે પ્રાપ્ત થયા. તમે જે ખી વાવા તેનાં ફળ તમને મળે છે જ. અભયકુમારની બુદ્ધિના મૂળમાં તેની પિતૃભક્તિ કારણ રૂપે હતી. જન્મથી જ વિરક્ત હેાવા છતાં તેના પિતા શ્રેણિક પ્રત્યે તેના ભક્તિ ભાવ અનન્ય અને અપૂર્વ હતા સયમી, તપસ્વી અને ત્યાગી હેાવા છતાં અભયકુમારે પેાતાના પિતાની કોઈ પણ ઇચ્છાને અતૃપ્ત રહેવા દૃીધી ન હતી. કયવના શેઠના સૌભાગ્યની માગણી કરનારાએમાંથી ઘણા વેપારીભાઈ ને તેના જીવનની માહિતી પણ નહીં હેય. રાજગૃહીમાં ધનેશ્વર નામના શેઠને ત્યાં પુત્રના જન્મ થયેા, અને તેનું નામ કૃતપુષ્પક પાડ્યું. પુણ્ય કરીને, પુણ્ય ભેાગવવા જ બાળક જન્મ્યા, એટલે તેનું કૃતપુણ્યક નામ યથાર્થ જ હતું. બાળક જન્મથી જ નિર્વિકારી અને નિષ્પાપી. એકના એક પુત્ર હાવાથી અને સાધુઓના સંગમાં રહેતા જોઈ માતાપિતાને ભય લાગ્યા કે રખેને પુત્ર સાધુ થઈ જાય! ભૌતિક સુખા અને વૈભવથી દૂર નાસતાં હોવા છતાં ભાગાવલી કર્મ તે ભેગવે જ છૂટકે. પિતાએ પુત્રને વૈભવ અને વિલાસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164