SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [ જાણ્યું અને જોયું જતાં ત્રીજું સ્ટેશન ઉરૂલી આવે છે, અને સ્ટેશનથી માત્ર પાંચ મિનિટના રસ્તે, આ આશ્રમ આવેલ છે. અત્યારે આશ્રમમાં લગભગ ૪૦ દરદીઓ રહી શકે તે જાતની વ્યવસ્થા છે. આશ્રમમાં ગૌશાળાની વ્યવસ્થા છે, અને તેની સરસ દેખરેખ રાખવામાં આવે છે. આશ્રમમાં એક ડૉકટરની વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ દવા અગર ઈજેકશનને બિલકુલ ઉપગ કરવામાં આવતો નથી. દરદીઓને આશ્રમ તરફથી ચલાવવામાં આવતા રસોડેથી ડોકટરની સલાહ અને સૂચના અનુસાર તૈયાર રસોઈ આપવામાં આવે છે. દરદીઓના ખોરાકમાં મુખ્યત્વે તે દૂધ, દહીં, સુપ વગેરે આપવામાં આવે છે. ચા, કૉફી, કોકે, તમાકુ, તેમ જ આવા બીજા પદાર્થોને ઉપગ આશ્રમમાં કરવામાં આવતા નથી. દૂધ અને ફલાહાર કે રસાહાર પર રાખવામાં આવતા દરદીઓનાં માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા આશ્રમ તરફથી કરી આપવામાં આવે છે. સવારે અને સાંજે બંને વખત પ્રાર્થના થાય છે, અને તેમાં લગભગ તમામ આશ્રમવાસીઓ તથા દરદીઓ હાજરી આપે છે. આશ્રમમાં એક પુસ્તકાલયની પણ વ્યવસ્થા છે. આશ્રમમાં ટબસ્નાન, કટિસ્નાન, વરાળસ્નાન, માલીશ વ. બધી વ્યવસ્થા રાખવામાં આવી છે. આશ્રમના ડોકટર હમેશાં એક વખત તમામ દરદીઓની મુલાકાત લઈ જાય છે, અને દરદી વિભાગમાં વ્યવસ્થાપક દરદીઓની ખાસ સંભાળ અને કાળજી રાખે છે. સાધારણ રીતે ખેરાક પર રહેતાં દરદીઓને માસિક ખર્ચ રૂ. ૭૫ થી ૮૦ આવે છે. જ્યારે દુગ્ધાહાર, ફલાહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy