SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કુદરતી ઉપચાર વિશે મારે અનુભવ ] કે રસાહાર પર રહેતાં દરદીઓને માસિક ખર્ચ રૂ. ૧૨૦૧૨૫ની આસપાસ આવે છે. હવા, પાણી અને વાતાવરણ એવાં શુદ્ધ અને સાત્વિક છે કે જેનાં અંગે દરદીઓને શારીરિક તંદુરસ્તી ઉપરાંત માનસિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ભારે લાભ થાય છે. ગયા ડિસેમ્બર માસમાં મારા પગની સારવાર અર્થે હું ત્યાં ગયે હતો. મારા ડાબા પગ ઉપર સોજો આવવાનું કારણ જુદા જુદા ડોકટરોના અભિપ્રાય પ્રમાણે જુદું જુદું હતું. લીમ્ફઝાઈટીસ, હાથીપગે, પગમાં વાળે, એક જાતનું વા, પગની નસોમાં સોજો, આ પૈકી કઈ દર્દીને હું ભોગ થઈ પડ્યો છું, એમ ડોકટરોનું માનવું હતું. લગભગ એક માસ સુધી પેનીસીલીન, સ્ટ્રેપ્ટોમાઈસીનનાં ઇજેકશને, પગ પર ઇલેકટ્રીક શેક (Short Wave), મહાગરાજ ગુગળ, રાસકવાથ વગેરેના ઉપગ પછી, પગ ઉપર આરામ થવાને બદલે, પગ ઉપરના સજાએ પોતાનું મક્કમ સ્થાન જમાવ્યું, અને ચાલવામાં પણ અડચણ આવવી શરૂ થઈ આખરે કંટાળીને, તા. ૨૨ ડિસેમ્બરના હું ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં દાખલ થયે. ખોરાક બંધ કરી મને માત્ર રસાહાર પર રાખવામાં આવ્યું. પગ ઉપર માલીશ ઉપરાંત લીંબડાનાં પાન સાથે ઉકાળેલા પાણીમાં પગ રાખવાનું, પગ પર કાળી માટીને લેપ, બે વખત કટિસ્નાન, અઠવાડિયામાં ત્રણ વખત વરાળ સ્નાન, આ બધા ઉપચાર શરૂ કરવામાં આવ્યા, અને પ્રથમ અઠવાડિયાના અંતે વગર દવાએ આપોઆપ મારા પગ પરને સેજે દૂર થયો. ચાર અઠવાડિયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy