Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 33
________________ . સ. કહેવાય છે ને કે ભૂખ્યાને છંછેડવો નહિ? એ ઉપદેશ તો જે ભૂખ્યા ન હોય તેને આપવાનો. ભૂખ્યાને શું ઉપદેશ આપવાનો? સમતા રાખવાનો જ ઉપદેશ આપવાનો હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુની આશાતના ન કરવી, સાધુને દુઃખ ન આપવું. સાધુની આશાતના કરવાથી ગાઢ મોહનીયકર્મ બંધાય તેને યોગે ભવાન્તરમાં સાધુપણું દુર્લભ બને. પણ સાધુભગવન્તને શું ઉપદેશ આપ્યો ? ‘કોઈ ગમે તેવું દુઃખ આપે, ગમે તે રીતે અપમાનતિરસ્કાર કરે તો વેઠી લેવું..” એમ જ ને ? આપણે ત્યાં જ નહિ, અન્યદર્શનમાં પણ સહનશીલતાના પાઠ આ રીતે આપ્યા છે. ગૌતમબુદ્ધના લિંક્ષઓ જ્યારે ભિક્ષાએ જવા નીકળ્યા ત્યારે ગૌતમબુદ્ધ તેમને કહે છે કે - “હે ભિક્ષુઓ! તમે જે ક્ષેત્રમાં ભિક્ષાએ જાઓ છો એ ક્ષેત્ર તો જ્ઞાતપુત્ર (શ્રી મહાવીર પરમાત્મા)થી ભાવિત છે આથી તમને કોઈ ભિક્ષા નહિ આપે તો ?' ત્યારે ભિક્ષુઓ કહે છે કે – “કાંઈ વાંધો નહિ, તિરસ્કાર તો નહિ કરે ને ?' ગૌતમબુદ્ધ કહે છે કે – “તિરસ્કાર કરશે તો ?' ભિક્ષુઓ કહે છે કે – “મારશે તો નહિ ને ?' ગૌતમબુદ્ધ કહે છે કે “મારશે તો ?' ભિક્ષુઓ કહે છે કે – મારી તો નહિ નાંખે ને ? ગૌતમ બુદ્ધ કહે છે કે - “મારી નાંખશે તો ?' ભિક્ષુઓ કહે છે કે –“ભલે મારી નાખે, આત્માને તો નહિ જ હશે ને ?' ત્યારે ગૌતમબુદ્ધ પ્રસન્ન થઈ કહે છે કે – “જો આટલી તૈયારી હોય તો ખુશીથી જાઓ!' ગૌતમબુદ્ધના અનુયાયીમાં જો આટલી ક્ષમતા હોય તો, આપણે તો શ્રી મહાવીરપરમાત્માના અનુયાયી છીએ ને? ભગવાનની આજ્ઞા પાળવા માટે ગમે તેવું દુઃખ વેઠવું પડે તો તેમાં જરાય ય પાછીપાની નથી કરવી. તિતિક્ષા એ સાધુપણાનો પ્રાણ છે. સાચી અનુકંપા લાવવાનું કામ આ તિતિક્ષા જ કરે છે. આ તિતિક્ષાગુણ પામવા માટે દીનતા કર્યા વગર સહન કરવાની ટેવ પાડવી છે. આપણામાં સહન કરવાની વૃત્તિ હશે તો ગમે તેનું સહન કરી શકીશું. શરૂઆત આપણા ઘરથી કરવી છે. આપણા ઘરના લોકોનું, ચોવીસ કલાક સાથે રહેતા લોકોનું દીન બન્યા વગર વેઠતાં થઈએ તો સાધુપણામાં આખા ગામનું વેઠી શકીશું. જ્યાં આપણો સ્વાર્થ હોય કે મમત્વ હોય ત્યાં દીનતા વગર વેઠતાં આવડે છે ને? ધંધામાં ઘરાકનું વેઠો ને ? ઘરમાં પત્નીનું પણ વેઠો ને ? તો અહીં ગુરુનું ન વેઠી શકાય ? ઘરમાં છોકરાનું મજેથી વેઠનારા અહીં સહવર્તીનું-સાધર્મિકનું ન વેઠી શકે ? સહનશીલતા નવી નથી કેળવવાની. અપ્રશસ્તમાર્ગનો બધો અભ્યાસ અહીં કામ લાગે એવો છે. માત્ર વૃત્તિ જોઈએ. અત્યાર સુધી સ્વાર્થ ખાતર ઘણાનું વેડ્યું હવે ભગવાનની આજ્ઞા ખાતર વેઠતાં થઈ (૩૦)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162