Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 114
________________ થાય છે. એના બદલે અહીં આવ્યા પછી અનુકૂળતાની શોધમાં નીકળી પડે-તે કઈ રીતે ચાલે ? સાધુપણામાં જે અનુકૂળ હોય તે શોધવાની વાત જ ન હોય. આગળ વધીને જે મળ્યું હોય તે વાપરી લેવાની ય વાત નથી, જે (ભગવાને) કહ્યું હોય તે વાપરવાનું છે. અભક્ષ્ય કે અપેય ન હોય, અકથ્ય ન હોય તોપણ ભગવાન ના પાડે તે ન લેવાય. ભગવાને અરસ-નીરસ આહાર લેવાનો કહ્યો છે. અરસ એટલે જે કુદરતી રીતે જ અરુચિકર ન ભાવે એવું) હોય છે. અને નીરસ એટલે રુચિકર બની શકે એવું હોવા છતાં જે બેસ્વાદ હોય છે. કરિયાતું અરસ આહારમાં ગણાય અને સાકર વગરની ચા કે મીઠા વગરની દાળ નીરસ આહાર કહેવાય. કૂરગડુ મુનિ ભૂખ અસહ્ય લાગવા છતાં ભાત લાવતા. તે પણ કેવા ? જોવા ય ન ગમે તેવા. ગ્રાહ્ય અને ત્યાજ્યમાં વિવેક કરવાની જરૂર છે. જે ગ્રાહ્ય લાગે તેનો ત્યાગ કરવો અને જે ત્યાજ્ય લાગે તેને ગ્રહણ કરવું. જેઓ યથેષ્ટ – અનુકૂળ આહાર વાપરવા ટેવાયેલા હોય તેઓ ત્યાગ ન કરી શકે. અનુકૂળ વિષયો વાપરવાથી શરીર સુકુમાલ બને કે ખડતલ? ગમે તેવા બાપા હોય કે દીકરા હોય : સાધુપણામાં આવીને શરીરને કસે નહિ તે ન ચાલે. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે બાપાને દીક્ષા આપી અને પ્રયત્નવિશેષ પણ ગોચરી જતા કર્યા ને? જેને મુલાયમ વસ્ત્ર અને ગરમાગરમ વસ્તુ જોઈતી હોય તે પરિષહ ન વેઠી શકે, તેવાનું પતન જલદી થાય. અરણિકમુનિનું પતન આ સુકુમાલતાના કારણે જ થયું ને? બાપા સાથે દીક્ષા લીધી હતી. બાપા ગોચરી લાવી આપતા. તેથી પરિષહ વેઠવાનો અભ્યાસ ન પડ્યો. અચાનક બાપા કાળધર્મ પામ્યા. બે દિવસ તો સાથેના સાધુઓએ ગોચરી લાવી આપી. ત્રીજે દિવસે સાથે લઈ ગયા. તડકો વેઠાયો નહિ. ઉષ્ણપરિષહથી હાર્યા, તેથી પતન પામ્યા. કામ કરવાનો અભ્યાસ ન પાડ્યો હોય તો પતન થાય-એ સમજાય છે ને ? કુમળી વય જોવા ન બેસાય. કામ કરીને શરીર કર્યું હોય તો પતનનો વખત ન આવે. કષ્ટ વેલ્યા વગર દુઃખમાં સમાધિ મળશે નહિ અને દુઃખની અસમાધિ ટળશે નહિ. જેને નરકનાં જેવાં દુઃખો ભોગવવાની તૈયારી હોય તેને સાધુપણામાં લાવવા. જેને દુઃખ ટાળવું હોય એવાને અહીં આવવા દેવા નહિ. વધારે દુઃખ ભોગવવા તૈયાર હોય તેવાને દીક્ષા આપવી. દીક્ષા પાળવા માટે કોમળતાનો ત્યાગ કરવો પડશે, અનુકૂળ વિષયોનો પણ ત્યાગ કરવો પડશે, અને કઠોરતા લાવવી જ પડશે. ભગવાન પણ સંયમમાં કઠોર હતા. ' હવે અહીં શિષ્ય શંકા કરે છે કે અનુકૂળ વિષયો સ્વરૂપ કામનો ત્યાગ કરવાનો ઉપદેશ શા માટે આપો છો ? આ સંસારમાં જે કાંઈ સુખ છે તે આ અનુકૂળ વિષયોના (૧૧૧)

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162