Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 113
________________ સ. પુણ્યોદયથી મોસંબીનો રસ મળ્યો, પી લીધો, વાત પૂરી થઈ ગઈ! ના ભાઈ ના ! વાત પૂરી નહિ, શરૂ થઈ. આજે મળી ગયું કાલે કોણ આપશે, કેવી રીતે મળશે તેની અનુપ્રેક્ષા શરૂ થવાની. વિષયના ત્યાગથી ઇચ્છા મારવી છે કે ભોગથી ? એક વારનો વિષયનો ભોગવટો વિષયની અનુપ્રેક્ષા શરૂ કરાવે. જેઓ ઈચ્છા પૂરી કરીને ઈચ્છા શાંત કરવા ઈચ્છે છે તેઓ બળતા અગ્નિમાં ઘી નાંખીને તેને ઓલવવાનો પ્રયત્ન કરનારા જેવા છે – એ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે. સ્મશાનભેગા થવાનો વખત આવ્યો છે, હવે વિષયની વાતો બંધ કરવી છે. વિષયના ભોગવટાથી વિષયની શરૂઆત થાય છે. વિષયોનો ત્યાગ કરવામાં આવે તો જ ઈચ્છાઓ મારવાનું શક્ય બનશે. આજે ઊગતાંની સાથે વિષયેચ્છાને દબાવી નહિ તેના કારણે આપણી અવદશા થઈ છે. બધી ઈચ્છાઓ પગ નીચે દબાવવાની હતી તેના બદલે માથે ચઢાવી માટે જ આજે વિષયોનો વિય પૂરો થતો નથી. આજે ગૃહસ્થો પણ પોતે તો તાજુંસ્વાદિષ્ટ વાપરે અને પાછા બીજાને ય સલાહ-સૂચન કરે કે તાજું નહિ વાપરો તો આરોગ્ય બગડશે. જેને સાધુ થવું હોય તેની નજર આરોગ્ય ઉપર હોય કે ગુણો ઉપર ? આજે આરોગ્ય બગડશે - એ સમજાય પણ સાથે જીભ બગડી ગઈ છે – એ યાદ ન કરે! આજે સાધુસાધ્વી પણ આરોગ્યની ચિંતા કરે કે ગુણોની? મોહનીયને દૂર કરવા માટે આવેલા અશાતાને દૂર કરવા મંડી પડ્યા હોય તો માનવું પડે ને કે લક્ષ્ય ચૂકી ગયા છે? અહીં જે કાંઈ વાત ચાલે છે તે સાધુસાધ્વીની ખરાબી બતાવવા માટે કે તેમની પ્રત્યે નફરત પેદા કરવા માટે નથી, દુષ્ટ આચારોથી જાતને બચાવી લેવા માટે આ વાત છે. આયુર્વેદમાં રોગીનાં લક્ષણ બતાવ્યાં હોય તે રોગીની નિંદા નથી ને? અહીં કોઈની પણ નિંદા કે ટીકા કરવાનો આશય નથી. શાસ્ત્રમાં જણાવેલા દોષો આપણામાં છે કે નહીં તે વિચારી લેવું. તમે જાતે વાંચો કે જાતે સમજો તો અમારે કાંઈ કહેવું નથી. જે પાટિયું વાંચીને માર્ગે ચાલતાં હોય તેને કાંઈ કહેવું ન પડે ને? આવી રીતે આતાપના લેવાથી અને સુકુમારતાનો ત્યાગ કરવાથી પાંચે ય ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ સરળ બને છે. સમર્થ જ્ઞાની, દર્શની કે ચારિત્રધર મહાત્માઓ પણ આ ઉપાયોનું સેવન કરતા હોય છે. જ્યારે આપણે તો જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ડગલે ને પગલે સ્કૂલના પામીએ છીએ તેથી આપણે તો સુકુમારતાનો ત્યાગ અવશ્ય કરવો પડશે. એક વાર આચાર્યભગવતે કહ્યું હતું કે આજે સાધુસાધ્વી દીક્ષા લેતાની સાથે સિદ્ધયોગીની જેમ વર્તે છે. દીક્ષા લીધા પછી તો કષ્ટકારી સાધનાની શરૂઆત (૧૧૦)

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162