Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 41
________________ જ : - સંયમનો ભોગ લેવાય જ ને ? સંયમ પાળવું હશે તો તેના પાલનના જે જે ઉપાય છે તે ધ્યાનમાં લેવા જ પડશે. શાસ્ત્રમાં સંયમના સત્તર પ્રકાર જણાવ્યા છે. પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોની રક્ષા કરવી(પ), બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય –પંચેન્દ્રિય : આ ચાર ત્રસ જીવોની રક્ષા કરવી), અજીવની રક્ષા કરવી અર્થાર્ તેની પ્રત્યે દ્વેષ ન કરવો તેમ જ અજીવને આશ્રયીને રહેલા જીવોની વિરાધના ન થાય તેની કાળજી રાખવી(૧૦), પ્રેક્ષાસંયમ એટલે ઉપયોગપૂર્વક જોવું(૧૧), ઉપેક્ષાસંયમ એટલે અયોગ્ય જીવોને વિષે માધ્યસ્થ્ય રાખવું તેમને પ્રેરણા ન કરવી(૧૨), પ્રમાર્જના એટલે પૂંજવું(૧૩), પરિષ્ઠાપના એટલે વસ્ત્ર, પાત્ર, અશનાદિ નિરવદ્ય ભૂમિમાં પરઠવવાં(૧૪), અકુશલ મનવચનકાયાનો નિરોધ કરવા સાથે કુશલ મનવચનકાયયોગને પ્રવર્તાવવા(૧) : આ પ્રમાણે સત્તર પ્રકારનું સંયમ છે. અહિંસાના પરિણામની પ્રાપ્તિ અને રક્ષા માટે ઉપયોગપૂર્વકના આ સંયમનું પાલન આવશ્યક છે. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની રક્ષા કરવાનું કામ ધારીએ છીએ એટલું સહેલું નથી. આપણા પ્રાણં કરતાં એમના પ્રાણનું મૂલ્ય અધિક છે – એવું સમજાય તો જ એ શક્ય છે. ‘દુઃખ વેઠી લઇશ પણ દુઃખ આપીશ નહિ' આ પરિણામ જ પૃથ્વીકાયાદિની રક્ષા કરાવવા સમર્થ બને છે. પથ્થર, બારી વગેરે અજીવના નિમિત્તે જ્યારે પણ આપણને પીડા થાય છે ત્યારે તેની પ્રત્યે દ્વેષ આવવાનો સંભવ છે. પરંતુ તેવા વખતે, તેમાં આપણી અનુપયોગદશા જ કારણ બને છે એનો જેમને ખ્યાલ છે તેઓ અજીવની રક્ષા કરી શકે છે. અજીવની હિંસા થતી નથી, છતાં તેને આશ્રયીને જીવો રહેલા હોય છે તેની હિંસા-વિરાધનાથી બચવા અજીવનો સંયમ જણાવ્યો છે. જે જે અજીવને ગ્રહણ કરવાથી સંયમ સચવાતું નથી તેવા વીસ ભેદ અહીં જણાવ્યા છે. પાંચ પ્રકારનાં પુસ્તક, પાંચ પ્રકારનાં વસ્ત્ર, પાંચ પ્રકારનાં ચર્મ-ચામડું અને પાંચ પ્રકારનાં તૃણઘાસ : આ બધા અજીવને ગ્રહણ કરવામાં અસંયમ થાય છે. ઉત્સર્ગમાર્ગે સાધુભગવન્તને પુસ્તક પણ રાખવાં કલ્પે નહિ. કાળને આશ્રયીને ચારિત્રના પાલન માટે અને આગમના જ્ઞાનનો વ્યવચ્છેદ ન થાય એ નિમિત્તે જરૂરપૂરતા પુસ્તકને જયણાપૂર્વક ગ્રહણ કરવામાં સંયમ થાય છે-એ પ્રમાણે ચૂર્ણિમાં જણાવ્યું છે. અટવી વગેરેનું ઉલ્લંઘન કરતી વખતે ચર્મપંચક ગ્રહણ કરવાનો પ્રસંગ આવે છે. બાકી ઉત્સર્ગમાર્ગે તો આ બધાં ઉપકરણો અસંયમનું કારણ હોવાથી નિષિદ્ધ છે. જે ઉપકરણો ભગવાને વિહિત નથી કર્યાં તે વસાવવાથી વિરાધના થવાની જ. વિહિત કરેલાં ઉપકરણો પણ જરૂરપૂરતાં રાખી તેની પ્રતિલેખના-પ્રમાર્જના કરે તો અજીવના અસંયમથી બચી શકાય. જરૂરથી અધિક વસ્ત્રપાત્ર રાખે અને તેની પ્રતિલેખના ન કરે તો અજીવસંયમ નહિ પળાય. (૩૮)

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162