________________
જ
:
-
સંયમનો ભોગ લેવાય જ ને ? સંયમ પાળવું હશે તો તેના પાલનના જે જે ઉપાય છે તે ધ્યાનમાં લેવા જ પડશે. શાસ્ત્રમાં સંયમના સત્તર પ્રકાર જણાવ્યા છે. પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોની રક્ષા કરવી(પ), બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય –પંચેન્દ્રિય : આ ચાર ત્રસ જીવોની રક્ષા કરવી), અજીવની રક્ષા કરવી અર્થાર્ તેની પ્રત્યે દ્વેષ ન કરવો તેમ જ અજીવને આશ્રયીને રહેલા જીવોની વિરાધના ન થાય તેની કાળજી રાખવી(૧૦), પ્રેક્ષાસંયમ એટલે ઉપયોગપૂર્વક જોવું(૧૧), ઉપેક્ષાસંયમ એટલે અયોગ્ય જીવોને વિષે માધ્યસ્થ્ય રાખવું તેમને પ્રેરણા ન કરવી(૧૨), પ્રમાર્જના એટલે પૂંજવું(૧૩), પરિષ્ઠાપના એટલે વસ્ત્ર, પાત્ર, અશનાદિ નિરવદ્ય ભૂમિમાં પરઠવવાં(૧૪), અકુશલ મનવચનકાયાનો નિરોધ કરવા સાથે કુશલ મનવચનકાયયોગને પ્રવર્તાવવા(૧) : આ પ્રમાણે સત્તર પ્રકારનું સંયમ છે. અહિંસાના પરિણામની પ્રાપ્તિ અને રક્ષા માટે ઉપયોગપૂર્વકના આ સંયમનું પાલન આવશ્યક છે. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની રક્ષા કરવાનું કામ ધારીએ છીએ એટલું સહેલું નથી. આપણા પ્રાણં કરતાં એમના પ્રાણનું મૂલ્ય અધિક છે – એવું સમજાય તો જ એ શક્ય છે. ‘દુઃખ વેઠી લઇશ પણ દુઃખ આપીશ નહિ' આ પરિણામ જ પૃથ્વીકાયાદિની રક્ષા કરાવવા સમર્થ બને છે. પથ્થર, બારી વગેરે અજીવના નિમિત્તે જ્યારે પણ આપણને પીડા થાય છે ત્યારે તેની પ્રત્યે દ્વેષ આવવાનો સંભવ છે. પરંતુ તેવા વખતે, તેમાં આપણી અનુપયોગદશા જ કારણ બને છે એનો જેમને ખ્યાલ છે તેઓ અજીવની રક્ષા કરી શકે છે. અજીવની હિંસા થતી નથી, છતાં તેને આશ્રયીને જીવો રહેલા હોય છે તેની હિંસા-વિરાધનાથી બચવા અજીવનો સંયમ જણાવ્યો છે. જે જે અજીવને ગ્રહણ કરવાથી સંયમ સચવાતું નથી તેવા વીસ ભેદ અહીં જણાવ્યા છે. પાંચ પ્રકારનાં પુસ્તક, પાંચ પ્રકારનાં વસ્ત્ર, પાંચ પ્રકારનાં ચર્મ-ચામડું અને પાંચ પ્રકારનાં તૃણઘાસ : આ બધા અજીવને ગ્રહણ કરવામાં અસંયમ થાય છે. ઉત્સર્ગમાર્ગે સાધુભગવન્તને પુસ્તક પણ રાખવાં કલ્પે નહિ. કાળને આશ્રયીને ચારિત્રના પાલન માટે અને આગમના જ્ઞાનનો વ્યવચ્છેદ ન થાય એ નિમિત્તે જરૂરપૂરતા પુસ્તકને જયણાપૂર્વક ગ્રહણ કરવામાં સંયમ થાય છે-એ પ્રમાણે ચૂર્ણિમાં જણાવ્યું છે. અટવી વગેરેનું ઉલ્લંઘન કરતી વખતે ચર્મપંચક ગ્રહણ કરવાનો પ્રસંગ આવે છે. બાકી ઉત્સર્ગમાર્ગે તો આ બધાં ઉપકરણો અસંયમનું કારણ હોવાથી નિષિદ્ધ છે. જે ઉપકરણો ભગવાને વિહિત નથી કર્યાં તે વસાવવાથી વિરાધના થવાની જ. વિહિત કરેલાં ઉપકરણો પણ જરૂરપૂરતાં રાખી તેની પ્રતિલેખના-પ્રમાર્જના કરે તો અજીવના અસંયમથી બચી શકાય. જરૂરથી અધિક વસ્ત્રપાત્ર રાખે અને તેની પ્રતિલેખના ન કરે તો અજીવસંયમ નહિ પળાય.
(૩૮)