________________
પ્રેક્ષા, ઉપેક્ષા અને પ્રમાર્જના સંયમ તો સાધુભગવન્તના પ્રાણજેવા છે, એનાથી શૂન્ય મુનિજીવનની કલ્પના પણ કરી શકાય એમ નથી. જે સ્થાને બેસવા-ઊભા રહેવા વગેરેની ક્રિયા કરવી હોય તે સ્થાનને દષ્ટિથી જોઈને રજોહરણાદિથી તે સ્થાનને પૂંછ-પ્રમાજીને પછી જ બેસવા વગેરેની ક્રિયા કરવી તેને પ્રેક્ષાસંયમ કહેવાય છે. સામાન્યતઃ પ્રેક્ષા એટલે ઉપયોગપૂર્વક જેવું. પ્રેક્ષા જીવજંતુની હોય છે અને પૂંજવાપ્રમાર્જવાની ક્રિયા સામાન્યતઃ અજીવને આશ્રયીને કરાય છે. અજીવને પૂંજવાપ્રમાર્જવાની તકેદારી ન રાખવામાં આવે તો છકાયજીવની હિંસાનું પાપ લાગવાનું જ. ઉપેક્ષાસંયમ : વ્યાપાર-ઉપેક્ષા અને અવ્યાપાર-ઉપેક્ષા એમ બે પ્રકારનું છે. સિદાતા એવા સાંભોગિકને પ્રેરણા કરવી તે વ્યાપાર – ઉપેક્ષા અને અનેક કાર્યમાં સિદાતા એવા ગૃહસ્થને પ્રેરણા ન કરવી તે અવ્યાપાર-ઉપેક્ષા. પ્રમાર્જનાસંયમમાં ગામનગરાદિમાં પેસતાં-નીકળતાં પગને પૂંજવાનું વિધાન છે. સાગારિકના દેખતાં પ્રમાર્જના ન કરવી તેમ જ સાગારિક ન હોય ત્યારે પ્રમાર્જના કરવી તેનું નામ પ્રમાર્જનાસંયમ. સંયમની સાધના માટે નિરુપયોગી બનેલાં વસ્ત્ર-પાત્રાદિ તેમ જ અશુદ્ધ આહાર વગેરે પરઠવવાં પડે ત્યારે નિરવધ એવી ભૂમિમાં પરઠવવાં એ પણ સંયમ છે - આને પરિઝાપનાસંયમ કહેવાય. મનવચન-કાયાનો સંયમ તો પ્રસિદ્ધ છે. આના ઉપરથી ખ્યાલ આવે છે ને કે સાધુભગવંતો કેવા હોય? જયણાપૂર્વક ચાલે, જોઈ-વિચારીને બોલે, જયણાપૂર્વક
સ્થાન તપાસે, પૂંછ-પ્રમાઈને કોઈપણ વસ્તુ લે-મૂકે, નકામી વસ્તુ પણ અણુજાણહ જસુગ્રહો કહીને નિર્જીવભૂમિમાં પરઠવે, પરઠવીને વોસિરે વોસિરે કહે... આ બધો જ ભગવાને બતાવેલો આચાર નજર સામે આવે તો લાગે કે આવું જીવન જીવવા માટે પ્રવૃત્તિ તદ્દન ઘટાડવી પડશે. આહારપાણી અલ્પ હોય તો કુદરતી રીતેં લઘુ-વડીનીતિ પણ અલ્પ હોય અને તેથી સાધના સરસ થાય. સંગીતકાર, તબલચી, ડોક્ટરો, ક્રિકેટરો વગેરે બધા જ પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને જવા માટે કેવી સાધના કરે છે? ખાવાપીવાની પ્રવૃત્તિ પર કાપ મૂકે, વિકથાદિ પર કાપ મૂકે અને પ્રમાદ આવી ન જાય એવું જીવન જીવે ને ? પૈસા કમાવવા કે શાખ જમાવવા જેવા તુચ્છ સ્વાર્થ ખાતર જ આવી અપ્રમત્તતા આજના કાળમાં પણ કેળવી શકાતી હોય તો મોક્ષરૂપ પરમોચ્ચ સ્વાર્થ માટે પ્રમાદ ખંખેરી ન શકાય? આ બધું અશક્ય માનીને તેની ઉપેક્ષા કરવાના બદલે શક્ય માનીને તેમાં પુરુષાર્થ કરવાની જરૂર છે. સંયમની ઉપેક્ષા પ્રાણઘાતક નીવડ્યા વિના નહિ રહે. આ સત્તરે ય પ્રકારનો સંયમ પાળવા માટે બિનજરૂરી પ્રવૃત્તિ ઘટાડે, જરૂરી પ્રવૃત્તિ પણ ઉપયોગ તથા જ્યણાપૂર્વક કરે, પ્રમાદ
(૩૯)