________________
ખંખેરીને અપ્રમત્તદશા કેળવે... આવા સંયમી આત્મા મળી જાય તો તેમનાં ચરણોમાં માથું મૂકીને પૂછો કે “ભગવન્! આપને સંયમ મળી ગયું, મને કેમ મળતું નથી ?' સાધુસાધ્વી ભગવન્તનાં દર્શન થતાંની સાથે સંયમ યાદ આવે એવું જીવન ભગવાને બતાવ્યું છે. પંદર કલાક સ્વાધ્યાય કરે, બાહ્યપ્રવૃત્તિ પર કાપ મૂકે અને મહેચ્છા પર કાબૂ રાખે તો સંયમ સુંદર રીતે પાળી શકાય.
અહિંસાધર્મ અને સંયમધર્મ પછી તપધર્મ બતાવ્યો છે. ધ્યેય તરીકે અહિંસા બતાવી, તેને સિદ્ધ કરવા માટે સંયમ બતાવ્યું, એ સંયમને વિશુદ્ધ બનાવવા માટે તપ છે. આપણા તરફથી કોઈ પણ જીવને કોઈ પણ જાતનું દુઃખ ન પહોંચે તે માટે વર્તમાનના પાપથી વિરામ પામવું તે સંયમ છે. વર્તમાનમાં પાપરહિત થયા પછી પણ
જ્યાં સુધી ભૂતકાળનાં પાપોનો નિકાલ ન થાય ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ થતી નથી. તેથી શ્રી વીતરાગપરમાત્માએ ભૂતકાળનાં એ કર્મોની નિર્જરા માટે તપ કરવાનું ફરમાવ્યું છે. આમ તો તપનું સ્વરૂપ આપણે સૌ જાણીએ છીએ છતાં વર્તમાનમાં આપણે જે રીતે તપની આરાધના કરીએ છીએ અને અનંતજ્ઞાનીઓએ જે રીતે તપ કરવાનું ફરમાવ્યું છે તે બે વચ્ચે ઘણું અંતર છે. ઈચ્છાના નિરોધને શાસ્ત્રમાં તપ કડ્યો છે. આવો તપ વર્તમાનમાં જોવા મળે ખરો ? ઈચ્છાઓનો અંત લાવવો છેએવું લક્ષ્ય જ હજુ કેળવાયું નથી. આજ સુધીમાં આપણી સઘળી શક્તિનો ઉપયોગ ઈચ્છાઓને પૂરી કરવામાં જ કર્યો છે ને ? અને પાછી એ ઈચ્છાપૂર્તિને જ આપણે ઈચ્છાઓનો અત માની લીધો છે. ઈચ્છા પૂરી કરવાના પ્રયત્નથી અનેક ઈચ્છાઓની પરંપરા ચાલે છે, ઈચ્છાઓ શાંત નથી થતી. અસલમાં ઈચ્છાઓને સફળ બનાવવા પ્રયત્ન ન કરીએ તો; બળતણ ન મળવાથી જેમ અગ્નિ શાંત થાય છે તેમ ઈચ્છાઓ પણ શમી જાય છે અને અને વિનાશ પામે છે. એ માટે જ તપધર્મનો ઉપદેશ છે. આવા પ્રકારના ઈચ્છાનિરોધ સ્વરૂપ તપધર્મના પાલન માટે એક દૃઢ સંકલ્પ અને થોડી ધીરજ કેળવવાની જરૂર છે. ઇચ્છાની ભયંકરતા સમજાયા વિના એ શક્ય નહિ જ બને.
આવા પ્રકારની અહિંસા, આવા પ્રકારનું સંયમ અને આવા પ્રકારનો તપ એ જ વાસ્તવિક કોટિનો ધર્મ છે. આ સિવાયનો ધર્મ જો આના કારણભૂત હોય તો જ તે ધર્મ છે. અહિંસાના ઉદ્દેશ વિનાનું સંયમ જેમ નકામું છે તેમ સંયમ વિનાનો તપ પણ કામ નથી લાગતો. અહિંસા, સંયમ અને તપમાં ત્રણે કાળનું પાપરહિત સ્વરૂપ સમાય છે. ભવિષ્યમાં પાપથી મુક્ત થવા અહિંસાધર્મ બતાવ્યો, એ ઉદ્દેશને સિદ્ધ
(૪૦)