________________
કરવા વર્તમાનના પાપથી વિરામ પામવા સ્વરૂપ સંયમધર્મ બતાવ્યો અને ભૂતકાળનાં પાપોને દૂર કરવા તપધર્મ બતાવ્યો. પાપરહિત તે જ બની શકે જે સહનશીલ હોય. અસહનશીલતા ગયેલાં પાપોને પણ પાછાં નોંતરી લાવે છે. પાપના ત્યાગ પછી પણ જીવનમાં પ્રચ્છન્ન(ગુપ્તપણે)પાપતા પેસતી હોય તો તેમાં મોટો ફાળો અસહનશીલતાનો છે. અસહિષ્ણુતાનો પ્રતિકાર એ જ સાધના છે. એ સિવાયનો પ્રયત્ન સાધનાને વેરવિખેર કરી નાખશે. અરતિનું મૂળ અસહનશીલતા છે. તેને ટાળવા માટે જ સકલ શાસ્ત્રોની રચના છે. સહનશીલતા કેળવવા માટે જ તપધર્મ છે. મનને મારવા માંડીએ અને સામાન્ય ટેવ પાડીએ તો અસહનશીલતા ટાળવાનું કામ કપરું નથી. આચાર્યભગવન્તે એક વાર કહયું હતું કે ‘દુ:ખ વેઠવા માંડો, વેઠતાં વેઠતાં દુ:ખ કોઠે પડી જશે....’
સમર્થજ્ઞાની ભગવન્તો પણ પાછા પડતા હોય તો તે પ્રમાદપ્રિયતા અને સુખની લાલચમાંથી જન્મેલી અસહનશીલતાના કારણે જ પાછા પડે છે. ‘હું કેમ ન કરી શકું ?' એમ વિચારે તેના માટે સહનશીલતા દુ:સાધ્ય નથી. ‘આપણું કામ નહિ !' એવું વિચારવાના કારણે અસહિષ્ણુતા વધવા માંડે છે. ‘મારાથી કેમ ન બને ?’, ‘હું કરી શકીશ’... એવું વિચારીએ તો સહનશીલતા આવ્યા વગર ન રહે. સંયોગો વિપરીત હોય તો તે સંયોગોને આધીન બનવાને બદલે તેને હઠાવવા પ્રયત્ન કરીએ અથવા મળેલા સંયોગોનો ઉપયોગ કરી લઇએ તો સિદ્ધિને નજીક બનાવી શકાય.
ન
જ
અનાદિકાળથી અનેક ભવોમાં સુખના રાગે અને દુઃખના દ્વેષે જે કર્મો બાંધ્યાં છે તે; સુખ છોડવાનો અને દુઃખ વેઠવાનો અભ્યાસ પાડ્યા વિના दूर કરી નહિ શકાય. આથી જ એ અભ્યાસ પાડવા માટે ભગવાને, છ પ્રકારે બાહય અને છ પ્રકારે અભ્યન્તર : એમ બાર પ્રકારનો તપ બતાવ્યો છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહય તપ છે. તેમ જ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અભ્યન્તર તપ છે. આ બારમાંથી આપણે તો માત્ર એક જ તપને તપ માનીએ ને ? અનશન સિવાયનો તપ એ તપ છે- એવું માનીએ ખરા ? અશન એટલે ખાવું, અનશન એટલે ન ખાવું. નવકારશીથી માંડીને છ મહિનાના ઉપવાસ સુધીનો તપ અનશનમાં આવે. સૂર્યોદયથી માંડીને બે ઘડી સુધી આહારપાણી ન લેવાનું પચ્ચક્ખાણ તેને નવકારશી કહેવાય, એનો અર્થ એ નથી કે રાત્રે સૂર્યોદય સુધી ખાવાની છૂટ છે. જે નવકારશી કરે તે રાત્રિભોજન ટાળે
૪.
(૪૧)