________________
રાજલોકમાં રહેલા કોઇપણ જીવને હું દુઃખ પહોંચાડીશ નહિ. અને ચૌદ રાજલોકમાં રહેલા બધા ય જીવો દુઃખ દેશે તો ય હું મજેથી વેઠી લઈશ....” આ પરિણામસ્વરૂપ અહિંસાધર્મ છે. આ અહિંસાનું સ્વરૂપ, સમજવા માટે ખૂબ જ સરળ છે. મનને ગમી પણ જાય એવું છે. પરન્તુ આત્મસાત્ કરવાનું ઘણું જ અઘરું છે. બીજાને દુઃખ પહોંચાડીને પણ સુખ ભોગવવાની વૃત્તિને દૂર કર્યા વિના અને દુઃખ મારા જ પાપનું ફળ છે માટે ભોગવી જ લેવું જોઈએ-એવી વૃત્તિ કેળવ્યા વિના અહિંસાનું પાલન શક્ય નથી.
આ અહિંસાધર્મ પછી અહિંસાના પાલનમાં કારણરૂપ સંયમધર્મ બતાવ્યો છે. જેને અહિંસા પાળવી હશે તેણે સંયમ લીધા વિના નહિ ચાલે. સંયમ શબ્દનો અર્થ નિયંત્રણ રાખવું - એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ છે. અહીં સંયમ એટલે સારી રીતે વિરામ પામવું. હિંસાદિ સર્વ પાપોથી સારી રીતે વિરામ પામવું તેનું નામ સંયમ, આ રીતે અહિંસા અને સંયમ પરમાર્થથી એક જ જણાય છે, છતાં બંન્નેને જુદા બતાવ્યા છે તેનું કારણ એ છે કે અહિંસા એ સાધ્ય છે અને સંયમ તેનો ઉપાય છે. કોઈપણ જીવને દુઃખી બનાવવા નથી- એ આપણું ધ્યેય છે અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે તે તે જીવોની જયણા-પાળવી, રક્ષા કરવી – તે સંયમ છે. સંયમ પાળ્યા વિના અહિંસા સાચવી શકાય - એવું નથી. જ્યણા પાળવા માટે સૌથી પહેલાં પ્રવૃત્તિ ઉપર કાપ મૂકવો જ પડશે. જે ઘણી પ્રવૃત્તિ કરે તે અસંયમ ર્યા વગર નહિ રહે. જે પ્રવૃત્તિ કર્યા વિના ચાલે એવું હોય તેમાં હાથ નાંખવો જ નથી અને જે કર્યા વિના ચાલે એવું નથી તે પ્રવૃત્તિ એ રીતે કરવી છે કે જેમાં જ્યણા સચવાય. આચાર્યભગવન્ત કહેતા કે ભગવાનની આજ્ઞા મુજબ ઈર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક ચાલવું હોય તો એક કે બે કિલોમિટરનો વિહાર માંડ કરી શકે-આને જ ઉગ્રવિહાર કહેવાય. એક દિવસમાં માઈલોના માઈલો કાપવા તે ઉગ્રવિહાર નથી. કપડાં-કામળીના છેડા લબડતા હોય તો ફરક્યા કરે તેથી વાયુકાયની તેમ જ પૃથ્યાદિની વિરાધના થાય. માટે તે છેડા સાચવીને-દબાવીને ચાલવું, યુગપ્રમાણ ભૂમિ ઉપર નજર સ્થિર રાખવાની, આજુબાજુ જોતાં કે વાતો કરતાં ન ચાલવું, તે ઉગ્રવિહાર.
સ. આ રીતે ચાલે તો સામે ગામ ક્યારે પહોંચે ? " આપણે સામે ગામ નથી પહોંચવું, મોક્ષે જવું છે. મોક્ષે જે રીતે પહોંચાય તે રીતે સામે ગામે પહોંચવું છે. સામું ગામ નજીક આવે અને મોક્ષ દૂર થાય- એ વિહાર કેવો? થોડી પ્રવૃત્તિ હોય તો સંયમ સાચવી શકાય. ઢગલાબંધ પ્રવૃત્તિ હોય તો
(૩૭)