________________
૪૩
૪૦
ઔષધ જે ભવરોગનાં
અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે-તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે,
એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્યું પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે
કાર્યે કાર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે
લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે;
અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં.