Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra,
Publisher: Shobhagchand Chunilal Shah
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૪૮
૧૩૬
અપૂર્વ અવસર
(પરમપદ પ્રાપ્તિની ભાવના)
૧ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જો? અપૂર્વ ૨ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, - માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ ૩ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168