Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra,
Publisher: Shobhagchand Chunilal Shah
View full book text
________________
૧૪૯
ઔષધ જે ભવરોગનાં પ સંયમના હેતુથી યોગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ ૭ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શુંગાર નહીં,
દ્રવ્યભાવ સંયમમય નિર્ગથ સિદ્ધ જો. અપૂર્વ ૧૦ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, | માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168