Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
નિશીથĐદસૂત્ર - સૂત્રાનુવાદ
* ઉદ્દેશો-૯
• નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર ૫૮૦ થી ૬૦૭ એમ ૨૮ સૂત્રો છે. એમાંનો કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને ચાતુર્માસિક પરિહારસ્થાન અનુદ્ઘાતિક' કે જે ‘ગુરુ ચૌમાસી' નામે પણ ઓળખાય છે, તે પ્રાયશ્ચિત્ત આવે.
૪૮
• પ્રત્યેક સૂત્રને અંતે આ ‘ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત આવે. તે વાક્ય જોડી દેવું. અમે લખેલ નથી.
[૫૮૦, ૫૮૧] જે સાધુ-સાધ્વી રાજપિંડ (૧) ગ્રહણ કરે (૨) ભોગવે કે તેમ નારને અનુમોદે
[૫૮૨] જે સાધુ-સાધ્વી રાજાના અંતઃપુરમાં પ્રવેશે કે પ્રવેશ કરનારની અનુમોદના
રે.
[૫૮૩] જે સાધુ રાજાની અંતઃપુરિકાને હે હે આયુષ્યમતી રાયંતપુરિકા ! અમને રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવાનું કે નીકળવાનું ક્શે નહીં, તેથી તું આ પાત્ર લઈને રાજાના અંતઃપુરમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અહીં લાવીને આપ. જો સાધુ તેણીને આવું કહે કે ક્લેનારને અનુમોદે.
[૫૮૪] જો સાધુ, ન કહે, પણ અંતઃપુરિકા કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં પ્રવેશવું કે નીકળવું ક્લ્પતુ નથી, તેથી આ પાત્ર મને આપો. હું અંતઃપુરથી અશનાદિ લાવીને આપું. જો તેણીના આ વચનને સ્વીકારે કે સ્વીકારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૫૫] જે સાધુ-સાધ્વી, શુદ્ધવંશજ મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના દ્વારપાળ, પશુ, નો, સૈનિક, દાસ, ઘોડા, હાથી, અટવી, દુર્ભિક્ષ, દુષ્કાળ, પીડિત, દીનજન, રોગી, વર્ષા પીડિત કે આગંતુકોના નિમિત્તે બનેલ ભોજન ગ્રહણ કરે કે નારને અનુમોદે. [૫૮૬] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૂધ્ધાંતિષિક્ત ક્ષત્રિય રાજાના આ છ દોષ સ્થાનોની ચાર-પાંચ દિવસમાં જાણકારી ર્ડા વિના, પૂછ્યા વિના, ગવેષણા વિના ગાથાપતિનાં કુળોમાં આહાર માટે નીકળે કે પ્રવેશે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયાશ્ચિત.
આ છ દોષસ્થાન આ પ્રમાણે કોષ્ઠાગાર, ભાંડાગાર, પાનશાળા, ક્ષીરશાળા, ગંજશાળા, મહાનસ શાળા.
[૫૮] જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૃદ્ધભિષિક્ત ક્ષત્રિય રાજાના આવાગમનના સમયે, તેમને જોવાના સંક્લ્પથી એક ડગલું પણ ચાલે કે ચાલનારને અનુમોદે.
[૫૮] જે સાધુ ઉક્ત રાજાની સર્વાલંકારોથી વિભૂષિત રાણીને જોવાની ઈચ્છાથી એક ડગલું ચાલે કે ચાલનારને અનુમોદે, તો પ્રયાશ્ચિત.
[૫૮૯] જે સાધુ ઉક્ત રાજા માંસ, મત્સ્ય, શરીરાદિ ખાવાને માટે બહાર ગયેલ હોય, તેના અશનાદિને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે.
[૫૦] જે સાધુ-સાધ્વી ઉક્ત રાજાના અન્ય અશનાદિમાંથી કોઈ એક શરીર પુષ્ટિકારક મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા ઉઠી ન હોય, એક પણ માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org