Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
8186 કે પ્રવેશ કરવો ન કલ્પે.
કદાચ કોઈ હાથ પકડીને બહાર કાઢવા ઇચ્છે તો પણ તેનો સહારો લઇને ના નીકળે પણ જયણાપૂર્વક ચાલતા ચાલતા નીકળે.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુના પગમાં વંટો, બંકરો, કાર ઘુસી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ બીજ રજ આદિ પડે તો તેને મઢવાનું કે શુદ્ધિ ક્રવાનું ન . પરંતુ જયણાપૂર્વક રહેવાનું સ્પે.
માસિકી ભિક્ષુ પ્રતિમા ધારક સાધુને વિહાર ક્રતા કરતાં જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં જ રહેવું પડે.
તે સ્થાન જલ હોય કે સ્થળ, દુર્ગમ માર્ગ હોય કે નિમ્નમાર્ગ, પર્વત હોય કે વિષમ માર્ગ, ખાડા હોય કે ગુફા, આખી રાત્રિ ત્યાં જ રહેવું પડે. એક ડગલું પણ આગળ ન જવાય.
પરંતુ સવારે સૂર્યની પ્રભા પ્રગટ થાય ત્યાંથી સૂર્ય ઝળહળતો થાય પછી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર દિશા અભિમુખ થઈ જયણા પૂર્વક ગમન કરવું સ્પે.
માસિકી ભિક્ષ પ્રતિમાધારક સાધુને સચિત્ત પૃથ્વી ઉપર નિદ્રા લેવી કે સુવું ભે નહીં. વળી ભગવંતે તેને કર્મબંધનું કારણ કહેલું છે તે સાધુ એ રીતે નિદ્રા લેતા કે સુતા પોતાના હાતેથી ભૂમિને સ્પર્શ ક્રે તો જીવહિંસા થશે.
ઉક્ત કારણે તેણે સૂત્રોક્ત વિધિથી નિર્દોષ સ્થાને રહેવું કે વિહાર કવો જોઈએ.
જો તે સાધુને મળ-મૂત્રની શંક થાય તો રોક્વી જોઈએ નહીં, પણ પૂર્વે પડિલેબણ રેલી ભૂમિ ઉપર ત્યાગ કરવો જોઈએ. ફરી તે જ ઉપાશ્રયે આવી સૂત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ, સ્થાને રહેવું.
માસિકી ભિક્ષુ પ્રતિમાધારક સાધુને સચિત્ત રજવાળા શરીર સાથે ગૃહસ્થો કે ગૃહ સમુદાયમાં ભોજન-પાન માટે જવું કે ત્યાંથી નીકળવું કલ્પતું નથી.
જો તેને જાણ થઈ જાય કે શરીર ઉપર સચિત્ત રજ પસીનાથી અચિત્ત થઈ ગઈ છે, તો તેને ત્યાં પ્રવેશ કે નિર્ગમન ક્રવું ક્યું છે.
વળી તેને અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મોટું એક્વાર કે વારંવાર ધોવું ૫તું નથી. ફક્ત મળ-મૂત્રાદિથી લેવાયેલ શરીર કે ભોજન પાનથી લિપ્ત એવા હાથ અને મુખ જ ધોવા ક્યું છે.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુની સામે વિહાર જતી વેળાએ ઘોડો, હાથી, બળદ, ભેંસ, સિંહ, વાઘ, ભેડીયા, રીંછ, ચિત્તો, તેંદુક, પરાશર, કુતરો, બિલાડો, સાપ, શશલું, શીયાળ, ભુંડ આદિ હિંસક પ્રાણી આવી જાય તો -
ભયભીત થઇને એક ડગલું પણ પાછળ ખસવું ન સ્પે.
એ જ રીતે ઠંડી લાગે તો તડકામાં જવું કે ગરમી લાગે તો છાયામાં જવું પણ તેને ન સ્પે.
પણ જ્યાં જેવી ઠંડી કે ગરમી હોય તેને સહન ક્રવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org