Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮૦
દશાશ્રુતસ્કંધ-દસુરક એક નો સફેદ છત્ર ધરેલો, એક ઝારી લીધેલ, એક તાડપત્રના પંખા સાથે, એક શ્વેત ચામર ઢોળતો અને અનેક નોક્રો નાના-નાના પંખા લઈને ચાલતા હોય.
એ રીતે તેના પ્રસાદમાં એ રાજકુમાર વારંવાર આવતો જતો હોય
દૈદીપ્યમાન ક્નિવાળો તે રાજકુમાર સમયાનુસાર સ્નાન, બલિકર્મ યાવત બધા અલંકારોથી વિભૂષિત થઈ સારી સત્રિ દીપજ્યોતથી ઝગમગતી વિશાળ ટાગાર શાળાના સર્વોચ્ચ સિંહાસન ઉપર બેસતો હોય - ચાવત - સ્ત્રીઓના વિશાળ વૃંદથી ઘેરાયેલો રહેતો હોય.
નિપૂણ પુરૂષો દ્વારા થતા નૃત્ય જોતો, ગીત-વીણા-ગુટિત-ઘન મૃદંગ-માદલ આદિ વાધોનો મધુર ધ્વનિ સાંભળતો એવો અને આ પ્રમાણે દારિક એવા માનષિક કામ ભોગોને – શબ્દાદિ પાંચેય વિષયોને ભોગવતો હોય છે.
તે કોઈ કાર્યને વશ એક નોક્રને બોલાવે તો ચાર-પાંચ નોક્ર આવતા હોય અને પૂછતા હોય કે અમે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું આચરણ ક્રીએ ? તમારી અભિલાષા શું છે? તમને ક્યો પદાર્થ પ્રિય છે ?
આ બધુ જોઈને કોઈ સાધુ નિદાન કરે કે
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ રાજક્કારની જેમ માનષિક કામભોગ ભોગવું.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિગ્રંન્ય- સાધુ નિદાન ક્રીને, નિદાન શલ્ય સંબંધી સંલ્પોની આલોચના, પ્રતિક્રમણ ર્યા સિવાય
જીવનની અંતિમ ક્ષણોમાં દેહને છોડીને
કોઈ એક દેવલોકમાં મોટી અદ્ધિવાળો યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવતારૂપે ઉત્પન્ન થાય
આયુ સ્થિતિ, ભવસ્થિતિ નો ક્ષય ક્રીને તે દેવલોક્યી ઔવી શુદ્ધ માતા અને પિતાના પક્ષવાળા ઉગ્રળ કે ભોગળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે ત્યા તે બાળક સુમાર હાથ-પગ વાળો - યાવત્ - સુંદર રૂપ વાળો થાય છે.
બાલ્યકાળ વીત્યા પછી તથા વિજ્ઞાનની વૃદ્ધિ થતાં તે યોવનને પ્રાપ્ત નારો થાય છે.
તે સમયે સ્વયં પિતા સંબંધી પ્રાપ્ત કરે છે.
પ્રાસાદથી જતાં-આવતાં તેની આગળ-આગળ ઘોડાઓ ચાલે છે - યાવત - તમને શું પ્રિય છે ? આદિ પૂર્વવત.
પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ અને સંયમના મૂર્તરૂપ એવા
શ્રમણ કે બ્રાહ્મણ કેવલિ પ્રરૂપિત ધર્મ કહે છે ? ઉત્તર – હા, ક્રે છે. પ્રશ્ન – શું તે ઉપદેશ સાંભળે છે ? ઉત્તર – આ સંભવ નથી, કે તે ધર્મશ્રવણને યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org