Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦/૧૦૫
૪૩
આ રીતે પુરૂષનું જીવન દુઃખમય છે. પરંતુ તેના જતાં સ્ત્રીનું જીવન સુખમય છે.
જો મારા તપ-નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ જ વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં ઉક્ત સ્ત્રીની જેમ મનુષ્ય સંબંધી શબ્દાદિ કામ ભોગોને ભોગવું.
હે આયુષ્યમાન શ્રમણો !
તે સાધુ નિદાન ક્રે, ક્યાર પછી તે નિદાન શલ્ય રીતે તેના આલોચના અને પ્રતિક્રમણ ન રે.
તેમ ન કરીને જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરે. કાળ ધર્મ પામ્યા પછી તે કોઈ દેવલોકે દેવ થાય.
તે દેવ મોટી ઋદ્ધિવાળો યાવત ઉત્કૃષ્ટ સ્થિતિવાળો થાય છે. ઇત્યાદિ બધું પહેલાં નિદાન માફક જાણવું.
– તે દેવલોક્યી ઔવીને તે દેવ બાલિકરૂપે ઉત્પન્ન પણ થાય – તેવા ઉત્તમ પુરૂષને પનીરૂપે પણ અપાય
– તે પોતાના પતિની એક્માત્ર પ્રાણપ્રિયા થાય છે. ઇત્યાદિ બધું જ પૂર્વવત સમજી લેવું.
આિવા નિદાનયુક્ત તેણીને –] (૧) કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવાતો મળે છે.
(૨) પરંતુ તે શ્રદ્ધાપૂર્વક સાંભળતી નથી. કેમકે તેણી ધર્મના શ્રવણને માટે અયોગ્ય છે.
તે ઉક્ત અભિલાષાવાળી - ચાવત્ - દક્ષિણ દિક્ષાવર્તી નરકે નારકીરૂપે ઉત્પન્ન થાય છે.
તેમજ ભવિષ્યમાં પણ બોધિ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
તે નીયાણાનું આ પાપરૂપ ફળ છે. તેથી તે કેવલિપ્રરૂપિત ધર્મને સાંભળી શક્તો નથી.
[આ ત્રીજુ નિયાણું વર્ણવ્યું [૧૦] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે યાવતું બધાં દુઃખોનો અંત રે છે.
એવા તે કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ સાધ્વી તત્પર થાય અને સુધા, તૃષા આદિ પરીષહ સહન રે.
પરંતુ તેમ સહન કતાં કદાચિત કોઈ કામ વાસનાનાનો પ્રબળ ઉદય તેણીને થઈ પણ જાય તો
તે સંયમની ઉગ્ર સાધના થકી ઉદિમ કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે છે.
તે સમયે તે નિગ્રન્થી કોઈ ઉગ્રવંશી કે ભોગવંશી પુરૂષને જુએ છે ઇત્યાદિ બધું પહેલાં નિયાણા માફક જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org