Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૮
૧૬૩ મા દશા-૭ “ભિક્ષ પ્રતિમા' • આ દતાનું નામ ભિક્ષુ-પ્રતિમા છે. જે રીતે આ પૂર્વેની દસામાં શ્રાવક્રશ્રમણોપાસક્તી ૧૧ પ્રતિમાઓનું નિરૂપણ ક્રેલ છે. તેમ આ દસામાં ભિક્ષુ અર્થાત શ્રમણ કે સાધુની ૧૨ પ્રતિમાઓનું સૂત્રકારથી નિરૂપણ ક્રી રહેલાં છે.
અહીં પણ પ્રતિમા' શબ્દનો અર્થ “વિશિષ્ટ પ્રકારના આયાયુક્ત પ્રતિજ્ઞા' એ પ્રમાણે જ સમજવો.
[૮] હે આયુષ્યમાન છે. તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલું છે કે- આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિક્ષપ્રતિમાઓ કહી છે.
તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી બાર ભિપ્રતિમા કઈ કહી છે ? તે સ્થવિર ભગવંતોએ નિશ્ચયથી હેલી બાર ભિક્ષ પ્રતિમા આ પ્રમાણે છે
(૧) એક્લાસિકી, (૨) દ્વિમાસિકી, (૪) ત્રિમાસિકી, (૪) ચામસિકી, (૫) પંચમાસિકી, (૬) છમાસિદ્ધ, (૭) સાતમાસિકી, (૮) પહેલી સાત અહોરાત્રિી, (૯) બીજી સાત અહોરાત્રિી, (૧૦) ત્રીજી સાત અહોરાત્રિકી (૧૧) અહોરાત્રિકી (૧૨) એક રાત્રિકી.
૪િ૯] માસિકી ભિક્ષુપતિમાને ધારણ ક્રતા સાધુ કાયાને વોસિરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે કાંઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ ક્રનારને ક્ષમા ક્રે છે, અહીન ભાવે સહન ક્રે છે, શારીરિક ક્ષમતાપૂર્વક તેનો સામનો કરે છે.
માસિક ભિક્ષ પ્રતિમાધારી સાધુને એક દત્તિ ભોજન અને એક દત્તિ પાણી લેવું સ્પે. [દત્તિ એટલે એક અખંડ ધારાથી જેટલું ભોજન કે પાણીનો દાતા આપે છે.]
આ દત્તિ પણ અજ્ઞાત કૂળથી, અલ્પમાત્રામાં બીજા માટે બનાવેલ, અનેક દ્વિપદ, ચતુષ્પદ, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, ભિખારી આદિના ભિક્ષા લઈને ચાલી ગયા બાદ ગ્રહણ ક્રવી કહ્યું છે.
વળી આ દત્તિ જ્યાં એક વ્યક્તિ ભોજન કરતો હોય ત્યાંથી લેવી સ્પે. પણ બે, ત્રણ, ચાર, પાંચ, વ્યક્તિ સાથે બેસીને ભોજન ક્રતા હોય ત્યાંથી લેવી ન કલ્પે.
ગર્ભિણી, નાના બાળવાળી કે બાળક્ત દૂધ પાતી હોય તેની પાસેથી આહાર પાણીની દત્તિ લેવી ન ધે.
જેના બંને પગ ડેલી - ઉંબરાની બહાર હોય કે અંદર હોય તો તે સ્ત્રી પાસેથી દત્તિ લેવી ન સ્પે. પણ એક પગ અંદર ને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું કલ્પે. પણ જો તે દેવા ન ઇચ્છતી હોય તો તેના હાથે લેવું ક્યું નહીં.
માસિકી ભિક્ષ પ્રતિમા ધારણ ક્રેલા સાધુને આહાર લાવવા માટેના ત્રણ સમય ક્યા છે–
(૧) આદિ દિવસનો પહેલા ભાગ, (૨) મધ્ય – મધ્યાહ્ન અને (૩) અંતિમ – દિવસનો અંતિમ ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org