Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 161
________________ ૧૬૦ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર-૩ [૪૩] હવે સાતમી ઉપાસક પ્રતિમા હે છે તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ દિન-રાત બ્રહ્મચારી અને સચિત્ત આહાર પરિત્યાગી હોય છે. [દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ રાત્રિ બ્રહ્મચર્ય એ છ પ્રતિમા પાલક તથા સચિત્ત પરિત્યાગી છે. પરંતુ આ ઉપાસક ગૃહ આરંભના પરિત્યાગી ન હોય. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે કે ત્રણ દિવસ ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ સાતમી સચિત્ત પરિત્યાગ નામક ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમા ઉત્કૃષ્ટ સાત માસની હોય છે. [૪] હવે આઠમી ઉપાસક પ્રતિમા હે છે - તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. (૧) દર્શન, (૨) વ્રત (૩) સામાયિક (૪) પૌષધ (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત્રે બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગી એ પૂર્વની સાત પ્રતિમાના પાલન ઉપરાંત ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પરંતુ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે ધન્યથી એક, બે, ત્રણ યાવત્ આઠ મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ ‘આરંભ પરિત્યાગ' નામે આઠમી ઉપાસક પ્રતિમા ક્હી. આ પ્રતિમા ઉત્કૃષ્ટ આઠ માસ સુધીની હોય છે. [૪૫] હવે નવી ઉપાસક પ્રતિમા હે છે - તે સર્વ ધર્મરુચિવાળો હોય છે. યાવત્ આરંભ પરિત્યાગી હોય છે. અર્થાત્ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) દિવસે બ્રહ્મચર્ય, (૬) દિવસ-રાત બ્રહ્મચર્ય, (૭) સચિત્ત પરિત્યાગ અને (૮) આરંભ પરિત્યાગ એ આઠ ઉપાસક પ્રતિમાના પાલનí, બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ ઉદૃિષ્ટ ભક્ત અર્થાત્ પોતાના નિમિત્તે બનાવેલા ભોજન કરનાર પરિત્યાગી હોતા નથી. આ પ્રકારે આચરણાપૂર્વક વિચરતા તે જધન્યથી એક બે અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી નવ મહિના સુધી સૂત્રોક્ત માર્ગાનુસાર પ્રતિમાને પાળે છે, આ નવમી પ્રેષ્ટ પરિત્યાગ' ઉપાસક પ્રતિમા છે. આ પ્રતિમાનું ઉત્કૃષ્ટ પાલન નવ માસ સુધી હોય છે. [૪૬] હવે દશમી ઉપાસક પ્રતિમા કહે છે . - તે સર્વ ધર્મ રુચિવાળો હોય છે. પૂર્વોક્ત નવે પ્રતિમાનો ધારક હોય છે, તે આ પ્રમાણે [દર્શન, વ્રત, સામાયિક, પૌષદ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ-રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત પરિત્યાગી, આરંભી પરિત્યાગી અને નવમી પ્રેષ્ટ પરિત્યાગી પ્રતિમા પાલક હોય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210