________________
પગલાં લેવા આગ્રહ સેવ્યો છે. એમણે કહ્યું છે કે - દેશના શિક્ષણને વિશ્વકક્ષાની ગુણવત્તા બક્ષવા બધું જ કરી છૂટવાની જરૂર છે, પરંતુ એ વાત દુઃખ સાથે કહેવી જોઈએ કે આ ક્ષેત્રની ધરાર અવગણના કરવાનું હજી ચાલુ છે. કેળવણીમાં ખૂટતી ગુણવત્તા વિશે તો સ્વ. કવિ સુરેશ દલાલે વર્ષો પહેલા આ ફરિયાદ કરી હતી જે હજી પણ સંભાળેલી રહેવા પામી છે.
ભારતની શિક્ષણ વ્યવસ્થા : ભારતદેશ વર્ષ ૧૯૪૭માં રાજકીય રીતે સ્વતંત્ર થયો. વર્ષ ૧૯૫૦માં એનું નવું બંધારણ અમલમાં આવ્યું, એ બંધારણે દેશના લોકોને સ્વતંત્રતા, સમાનતા અને મુક્ત ન્યાયની ખાતરી આપી. ત્યારથી દેશે વિકાસની યાત્રાની શરૂઆત કરી, દેશનો પ્રત્યેક નાગરિક સુખી, સંપન્ન અને આબાદ બને એ માટેની એ યાત્રા હતી, છે અને રહેવી જોઈએ છે. માટે જ દેશે શિક્ષણ વ્યવસ્થાનો ઉત્તરોત્તર વ્યાપ વધાર્યો કર્યો છે. વર્ષ ૨૦૧૫માં શિક્ષણનો સંતાધાત્મક વિકાસ કેવો ગંજાવર હતો એ નીચેના આંકડા સૂચવે છે : અ. . | પ્રાથમિક કક્ષા |માધ્યમિક/ઉચ્ચતર ઉચ્ચકક્ષા
માધ્યમિક કક્ષા ૧ સંસ્થાઓ | ૧૦ લાખ શાળાઓ ૫૫૦૦૦ શાળાઓ ૭૮૦ યુનિવર્સિટીઓ
૩૮000 કૉલેજો ૨ વિદ્યાર્થીઓ ૨૨ કરોડ ૧૦ કરોડ | ૧.૨૦ કરોડ ૩ શિક્ષકો | ૫૩ લાખ ૧૪ લાખ ૯ લાખ
સંખ્યાની દૃષ્ટિએ ભારતનું શિક્ષણક્ષેત્ર અમેરિકા અને ચીન કરતાં પણ મોટું થઈ ગયેલ છે. જો કે, હજી સંખ્યાની દૃષ્ટિએ એ પૂરતું નથી; વળી દેશના બધાય પ્રદેશોમાં એ એકસરખું નથી, ઉપરાંત છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ બધી કક્ષાએ ઓછું છે. અને સમાજના વંચિત વર્ગો જેવા કે ગરીબો, આદિવાસીઓ, ગ્રામપ્રદેશના લોકો, રઝળપાટ કરતા લોકો, ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓ વગેરે ની સંખ્યા એમની વસ્તીના પ્રમાણમાં ઘણી ઓછી નોંધાવા પામી છે. એટલે જ તો ડૉ. સામ પિત્રોડાના અધ્યક્ષપદે ૨૦૦૫માં નિમાયેલા “જ્ઞાનપંચે તાકીદે પ્રવેશની ઉપર જણાવેલી અસમાનતા દૂર કરવા ભલામણ કરેલી. એ ભલામણના આધારે તો R.T.C. વય ૬ થી ૧૪ વર્ષનાં તમામ બાળકો માટે મફત, પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવો એ મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો છે, અને એ જ જોગવાઈ અનુસાર ખાનગી, પ્રાથમિક શાળાઓ ગરીબવર્ગનાં બાળકો માટે ૨૫ % સ્થાન અનામત સ્થાપવામાં આવ્યાં છે.
શિક્ષણની ગુણવત્તા : ડૉ. પિત્રોડા પંચ અને ડૉ. યશપાલ સમિતિ (૨૦૦૯) એ શિક્ષણમાં સંખ્યા વધારવાની અનિવાર્યતા સાથે શિક્ષણમાં ગુણવત્તા (Quality) અને ઉત્તમતા (Excellence) તાકીદે વધારવા [ ૨૮ /
MLA આદર્શ કેળવણીનું ઉપનિષદ]
વેદના ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ? સરસ્વતીનાં આટલાં બધા કાદવથી ખરડાએલાં ચરણ કેમ ?' લોકોમાં આટલી હદે થીજી ગએલાં ચરણ કેમ ? કોઈ તો કહો કે બળબળતું આ રણ કેમ ? ભારતની વિદ્યાસંસ્થાઓમાં કેળવણીની સ્થાપના કુળદેવી તરીકે ક્યારે થશે ? કવિના આ તાતા પ્રશ્નનો જવાબ ક્યારે મળવો ! કશું નક્કી નથી. જવાબ કેવો મળશે એ પણ નક્કી નથી. વર્ષ ૨૦૧૫માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (N.G.PL. 2015) નક્કી કરવા માટે એક સમિતિ નીમવામાં આવી છે. એને ૧૩ પ્રશ્નો શાળાકક્ષા માટે અને ૨૦ પ્રશ્નો ઉચ્ચશિક્ષણકક્ષા માટે તપાસણી માટે સોંપવામાં આવ્યા છે. એના જવાબો હજારોની સંખ્યામાં બોલીને અને લખીને આપ્યા હોવાના હેવાલ પણ છે; પરંતુ એ વલોણામાંથી ક્યારે, કેવું અને કેટલું નવનીત તારવવામાં આવશે તે વિશે કશી માહિતી જાહેર થઈ નથી. મશહૂર ફિસૂફ શાયર ગાલિબ'ના શબ્દોમાં, આ સંબંધી આવી અનિશ્ચિતા પ્રવર્તે છે -
ગાલિબ' તુમ હી કહો,
મિલેગા જવાબ ક્યા ? માના કિ તુમ કહા કિયા
ઔર વો સુના કિયે ! આ હાલો-હવાલ છે. દરમિયાનમાં પ્રત્યેક વિદ્યાર્થીને એનું સંતુલિત જીવનદર્શન વિકસાવવામાં ઉપયોગી નીવડે એવી કેળવણી આપતી આદર્શ કેળવણીનું ઉપનિષદ |
છે ૨૯ ]