Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 30
________________ મુરતિયો મળી જાય. ખૂબ જ સારી, ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડિગ્રી દ્વારા પોતાનો વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે.' શિક્ષણ કે કેળવણી પાસે આપણી આ જ અપેક્ષા છે. શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી બની શકે. કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી વિનાશકારી બૉમ્બ બનાવવાની શોધ કરે. એને એ શોધ વેચી કરોડો રૂપિયા રળે અને લાખ્ખો માનવસંહારનો નિમિત્ત બને. 1 કરોડ રૂપિયા દ્વારા એ ગાડી, બંગલો અને સંપત્તિની હારમાળા ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ-દુરુપયોગ દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબીવિજ્ઞાનમાં શોધ કરી બીજાના જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે આને વિદ્યાની દિવ્યતા કહીશું. સંસ્કાર કે વિવેકબુદ્ધિવિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની શકે. લૂખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે, પરંતુ સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી પર શ્રુતદેવતા કે મા સરસ્વતીના આશીર્વાદ જ હોય. આધુનિક શિક્ષણે સંસ્કારહીન સાક્ષરને જન્મ આપ્યો છે, જેની રાક્ષસી તાકાત અનેક વિકૃતિઓથી ખદબદે છે. શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદો, વિદ્વાનો, સારસ્વતો અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે. શિક્ષણવિદો, શિક્ષણચિંતકો એ શિક્ષણનું આદર્શ માળખું બનાવવામાં મદદરૂપ થાય અને એ રૂપરેખાને ચરિતાર્થ કરવા શિક્ષકો અને પુરુષાર્થ દ્વારા સફળ પરિણામ આપવા તત્પર બનશે. શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ૧૯૩૭મા “હરિજનબંધુ'માં પ્રગટ થયેલા ગાંધીજીના વિચારો પથદર્શક બની રહે તેવા છે : પ૬ . ને આદર્શ કેળવણીને ઉપનિષદ | સાચી કેળવણી તો બાળકો અને બાળાઓની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. આ વસ્તુ વિધાર્થીઓના મગજમાં નકામી હકીકતોનો ખીચડો ભરવાથી કદી ન સાધી શકાય. એવી હકીકતો વિદ્યાર્થીઓ પર બોજારૂપ થઈ પડે છે. એ તેમની સ્વતંત્ર વિચારશક્તિને હણી નાખે છે અને વિદ્યાર્થીને કેવળ યંત્રરૂપ બનાવી દે છે.” ગાંધીજીએ પ્રરૂપેલી નઈ તાલીમનાં આદર્શ અને ઉત્તમ તત્ત્વો આજની શિક્ષણપ્રણાલીમાં ઉમેરવા જેવાં છે. સોક્રેટિસે શિક્ષકને દાયણ સાથે સરખાવ્યો છે. શિક્ષક જ્ઞાન દેનારો નથી, પરંતુ ખૂબ જ સિફતથી, માવજતથી જ્ઞાનને બહાર લાવનાર છે. બાળક અખૂટ ખજાના ભરેલ એક બીજરૂપ છે અને શિક્ષક માળીની ભૂમિકામાં છે, જે બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટેનું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કોઈ બીજને વૃક્ષ બનાવવા માટે તેની અંદર રહેલા અંકુરને બળજબરીથી બહાર ખેંચી કાઢવામાં આવે, તો તે વૃક્ષ ન બની શકે, પરંતુ કુશળ માળી તેને ખાતર અને પાણીનું યોગ્ય સિંચન કરશે, તો યોગ્ય સમયે તે અંકુરમાંથી છોડ વિકસશે. સફળ ઉદ્યોગપતિ શ્રી અજીમ પ્રેમજી કહે છે : “આજની વિદ્યાલયો અને શિક્ષકો બાળકને માટી જેવું માને છે, તેને કોઈ પણ બીબામાં ઢાળી શકાય તેમ હોય છે.” અહીં વાલીઓ અને શિક્ષકો કુંભારની ભૂમિકા ભજવી બાળકને કેવો ઘાટ આપવો તેનો નિર્ણય કરે છે. એક ચીની કહેવત છે - “કુંભારને તમે એક બીજ આપશો તો તેનું બોન્સાઈ બનાવી દેશે.” “બોન્સાઈ એટલે એક પ્રકારનું કુંઠિત વૃક્ષ. જેને માણસની મરજી મુજબ કૃત્રિમ ઘાટ આપવામાં આવ્યો છે. આ વૃક્ષ ક્યારેય આકાશની અખિલાઈને માપી શકતું નથી. તેનું અસ્તિત્વ કુંડામાં જ મર્યાદિત રહે છે. તેના મૂળને જમીનમાં ફેલાઈ જવાની તક મળતી નથી. આજની શિક્ષણસંસ્થાઓ બાળકની શક્તિઓને આ રીતે કુંઠિત બનાવી દે છે.' શિક્ષક, મિત્ર, ગુરુ કે માર્ગદર્શકની ભૂમિકાને બદલે જો તે સ્વાર્થી, લાલચુ અને નિર્દય બની સરમુખત્યારની ભૂમિકા ભજવે ત્યારે આખો સમાજ તેનાથી નારાજ થઈ જાય છે. વર્તમાનપત્રોમાં આવા કિસ્સાઓ છાશવારે પ્રગટ થાય છે. પાટણની કૉલેજના અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કર્યું. | આદર્શ કેળવણીને ઉપનિષદ Wછે પછી

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93