________________
આદર્શ શૈક્ષણિક અભ્યાસક્રમ ન સુધાબહેન પી. ખંઢેરિયા
પ્રસ્તાવના :
કહેવાય છે કે - “જેવું શિક્ષણ તેવો દેશ અને તે દેશનું ભાવિ.” આજ વાક્ય વિસ્તારપૂર્વક કહેવું હોય તો કહી શકાય કે - “જેવું શિક્ષણ તેવો દેશ અને દેશનું ભાવિ અને જેવો અભ્યાસક્રમ તેવું શિક્ષણ.” દેશની પ્રગતિ અને વિકાસનો આધાર દેશનાં બાળકો જે પ્રકારનું શિક્ષણ લે છે. તેના પર રહેલો છે. શિક્ષણ દ્વારા દેશની અભિલાષાઓ - આકાંક્ષાઓ પૂર્ણ કરી શકાય છે. શિક્ષણની ગુણવત્તા મોટો આધાર અભ્યાસક્રમની ગુણવત્તા પર રહેલો છે. શિક્ષણનાં ધ્યેયોને આપણે શિક્ષણની જુદી-જુદી કક્ષાઓ દ્વારા અપાતા વિષયો દ્વારા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શિક્ષણની પ્રક્રિયામાં અભ્યાસક્રમનું સ્થાન મુખ્ય છે. વ્યક્તિ અને સમાજનાં પરિવર્તનનું અને વૈચારિક ઉત્ક્રાંતિનું સૌથી પ્રબળ સાધન અભ્યાસક્રમ છે. વ્યક્તિ અને સમાજના પરિવર્તનનું અને વૈચારિક ઉત્ક્રાંતિનું સૌથી પ્રબળ સાધન અભ્યાસક્રમ છે. ટૉલ્સટૉપને પૂછવામાં આવ્યું કે - “તેઓ જીવનના બધા સંસ્કારો ક્યાંથી લાવ્યા ?” તેમનો જવાબ હતો : “મારી શાળા મારું મંદિર છે, મારો મઠ છે. જ્યાં હું જુદા-જુદા વિષયોના અભ્યાસક્રમના શિક્ષણ વડે પુનઃજીવન પામ્યો અને જીવનનાં પ્રલોભનો તથા મૂંઝવણોમાંથી મુક્ત બન્યો.” વૈયકિતક રીતે પણ અભ્યાસક્રમનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેથી વિદ્યાર્થીઓ વાંચીને, સમજીને વિચારતા થાય, અભિપ્રાય બાંધે, તારણ કાઢે, નિર્ણય કરે, સારા-નરસાનો ભેદ સમજે અને સમાજના વિકાસ અંગે ગહન ચિંતન કરતા થાય. વિદ્યાર્થી દેશના અને સમાજના પ્રશ્નો સમજે અને તેના ઉકેલમાં સહભાગી બને તો કોઈ પણ અભ્યાસક્રમ સાર્થક થયો કહેવાય. અભ્યાસક્રમ એટલે શું? :
અભ્યાસક્રમ એ વિદ્યાર્થીને શિક્ષણનાં નિયત ધ્યેયોને પહોંચવા માટેનો સહાયરૂપ માર્ગ છે. શિક્ષણનાં ધ્યેયોને પહોંચવા માટે વિદ્યાર્થીઓને જે શિક્ષણના અને અધ્યયનના અનુભવો પૂરા પાડવાના છે તેનું અભ્યાસક્રમ એક માધ્યમ (મીડિયમ) છે. ૯૪ /
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ
અભ્યાસક્રમ શાળા દરમિયાન વિદ્યાર્થીને જ્ઞાનનાં જુદાં-જુદાં ક્ષેત્રમાં જે અનુભવ મેળવવાના છે, જે શક્તિઓ ને કુશળતા ખીલવવાની છે તે સૂચવે છે. ખરી રીતે તો તે વિષયોના મુદ્દાઓની યાદીથી કંઈક વિશેષ છે. વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વિવિધ પ્રકારનાં વર્તનના ફેરફારો કરવાના છે તે માટે જે-જે પરિસ્થિતિ, વસ્તુ, સાધન વગેરે શાળાને મળી શકે છે, તેનું સમગ્ર ચિત્રણ છે. પેઇન'ના મત અનુસાર બાળકના વ્યક્તિત્વની ખિલવણી માટે જે-જે પરિસ્થિતિઓ (સીટ્યુએશન્સ) શાળાને મળી શકે એમ છે, જેમાંથી પસંદગી કરી શાળા સમાન રીતે ઉપયોગી પરિસ્થિતિઓનું આયોજન કરી શકે તેનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.
આમ અભ્યાસક્રમની નવીન કલ્પનામાં જે શૈક્ષણિક અનુભવો દ્વારા વિદ્યાર્થીના જ્ઞાનભંડોળમાં, તેની શક્તિઓમાં, તેનાં કૌશલ્ય, વલણો ને અભિરુચિમાં ઇચ્છનીય વર્તન ફેરફારો કરી શકાય તે બધાંનો સમાવેશ થાય છે. શાળાની અભ્યાસની પ્રવૃત્તિઓ, અભ્યાસેતરની વિદ્યાર્થી પ્રવૃત્તિઓ શાળા - સમાજના સંબંધો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, પ્રર્યટન, મુલાકાતો વગેરેનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. અભ્યાસક્રમની સંકલ્પના :
અભ્યાસક્રમને અંગ્રેજીમાં ‘CURRICULUM' કહેવાય છે. આ શબ્દ મૂળ લૅટિન શબ્દ CURRERE પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે દોડવું. અભ્યાસક્રમનો સામાન્ય પરંપરાગત અર્થ Couse of study 2429 Body of course offered by on educational instilution એવો થાય છે. જો કે કેટલાક આ પ્રકારનાં અર્થ ચીલાચાલુ કે જુનવાણી - Traditional કહે છે. “અભ્યાસક્રમ” શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લગભગ ઈ.સ. ૧૮૨૦માં સ્કોટલૅન્ડમાં થયો હતો ત્યાર બાદ લગભગ એક સદી પછી આ શબ્દનો પ્રયોગ અમેરિકામાં થયો હતો ઈ.સ. ૧૯૧૮ સુધી તો અભ્યાસક્રમ પર કોઈ પુસ્તક ઔપચારિક રીતે ઉપલબ્ધ ન હતું અભ્યાસક્રમક્ષેત્રે પ્રથમ પુસ્તક “The cutrriculum’ હતું, જેના લેખક Franklin Bobbili હતા. જોકે આ પછી અભ્યાસક્રમ સંરચનાના ક્ષેત્રે અનેક લેખકોએ પુસ્તકો લખ્યાં છે.
પરંપરાગત સંકલ્પના પ્રમાણે “અભ્યાસક્રમ' શબ્દ જ્ઞાન અને માહિતી પર ભાર મૂકે છે. શાળા કે કૉલેજોમાં જે વિષયો શીખવવામાં આવે છે. તેને જ સામાન્ય રીતે અભ્યાસક્રમ કહેવાય છે. વિષયોની સૂચિ કે વિષયોના આદર્શ કેળવણીને ઉપનિષદ
Wી
૫ ]