Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 78
________________ શિસ્તબદ્ધ હોય, સેવા કરનાર હોય, અજ્ઞાનીઓથી દૂર રહે અર્થાત્ સાચી સંગતમાં રહે, આજે દરેક માબાપ સતત એ ચિતા કરતાં જ હોય છે કે - “એના બાળકના મિત્રો કોણ છે ? સાચી સંગતમાં છે કે નહિ ?' શિષ્ય ચિંતન-મનન કરનાર હોવો જોઈએ, આહાર અને નિંદ્રા જે શરીર સાથે જોડાયેલી બાબત છે, જે સ્વાશ્ય અનુકૂળ રાખે છે, તે અંગે પણ વિચારાયું છે. હવે આજે આપણે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા જોઈએ છીએ. જેમાં આર્થિક પરિસ્થિતિને કારણે સ્કૂલમાં જ ભોજન અપાય છે અને જેથી બાળકો સ્કૂલ તરફ આકર્ષાય, એવો ઉદ્દેશ્ય પણ રહ્યો છે. પરંતુ આજે જે જરૂરિયાતના ભાગરૂપે અપાઈ રહ્યું છે, તે એક સમયે સ્વાથ્ય સંદર્ભોથી વિચારાતું હતું અને તેમાં એ કાર્યની ગરિમા હતી, જે આજે હોત તો એમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો ન નડત. શિષ્યની લાક્ષણિકતાઓ વિશે વાત કરતી વખતે ઉત્તમ જ્ઞાન મેળવવાનું પાત્ર શિષ્ય બને તેવી જ અપેક્ષા છે. ખ્રિસ્તી ધર્મમાં જે “કન્ફસ'ની પરંપરા છે, તેમ અહી પણ કહેવાયું છે કે - “પોતાના ગુરુ પાસે પોતાના દોષો કબૂલ કરવા જોઈએ.” અને એથી એક પગલું આગળ વધી જૈનદર્શન એ ગુના માટે આલોચના લેવાનું કહે છે, જેનું કારણ એ છે કે ફરી એ રસ્તે ન જવાય નહિ. તો આજના સમય જેવી પરિસ્થિતિ થઈ જાય કે “સોરી’ કહી વિસરી જાઓ, ફરી “સોરી' કહી ભૂલો કરતાં રહો. શિક્ષણનો ઉદ્દેશ્ય જે મનુષ્યને આંતરિક રીતે નિર્મળ બનાવવાનો છે, તે હેતુ અહીં પાર પડે છે. ડિગ્રીનાં થોથાં લઈ બહાર પડતાં અનેકોની વચ્ચે આંતરિક ઉજાશ શોધવો અઘરો થઈ પડ્યો છે. બુદ્ધિના શિક્ષણનો વિચાર કરતાં એક ભ્રામક ખ્યાલ દૂર કરવો જરૂરી છે. આજે આપણે ત્યાં મોટેભાગે એમ માનીને ચલાય છે કે - “બાળકના મગજમાં જેટલી માહિતી ઠાંસીએ તેટલું તે વધુ પ્રશિક્ષિત થયું. આપણી પરીક્ષાઓ પણ જાણે કે સ્મરણશક્તિની કસોટી લેવાની હોય એવી જ હોય છે અને પાઠ્યક્રમ પણ એવો ગોઠવાય છે કે જેને લીધે બાળકો પોતાની પીઠ પર પુસ્તકો અને નોટબુકોનો ભાર ઉપાડતાં થાય છે. સહેજે પર્વતારોહક શ્રમિકોની યાદ આપે તેવા. અંગ્રેજોના સમયમાં ચાલતું હતું તે મેકોલેને તો એવું જ શિક્ષણ ખપતું હતું કે - “જેમાં એના વિદ્યાર્થીઓના મગજમાં ઠાંસીઠાંસીને માહિતી ભરી હોય. ગાંધીજીએ નયી તાલીમ અંગેના જે વિચારો વ્યક્ત કર્યા, તેમાં એમ કહ્યું કે - “બાળકનું શરીર, તેની બુદ્ધિ અને તેના આત્માનો જેમાં વિકાસ થાય તે જ સાચું શિક્ષણ. ડૉ. ઝાકીરહુસેને ૧૫૨ VIII) આદર્શ કેળવણીને ઉપનિષદ | બુનિયાદી તાલીમ અંગે જે યોજના ઘડી, તેમાં ઉદ્યોગ, સમાજ અને પ્રકૃતિને શિક્ષણના માધ્યમો માન્યાં. વિનોબાજી એ એક નયી તાલીમ સંમેલનમાં યોગ સહયોગ અને ઉદ્યોગ એવા શબ્દપ્રયોગ કર્યો. આ તમામ મહાનુભાવોના વિચારોમાં આપણને એકસરખો પ્રવાહ જોવા મળશે. આપણે આપણા સમગ્ર શિક્ષણનો વિચાર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરીએ. જૈનદર્શનમાં હવે “સમણસુત્ત' ગ્રંથની દૃષ્ટિએ વિચાર કરો તો સમજાશે કે - “આ બુનિયાદી તાલીમ કે કેળવણીની વાત આપણે ત્યાં થઈ ગઈ છે, પરંતુ આપણે અંગ્રેજોએ આપેલા વારસામાંથી મુક્ત થવામાં નબળા પડીએ છીએ. આ ગ્રંથમાં આગમજ્ઞાન, સૃષ્ટિજ્ઞાન, ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, તત્ત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા, નીતિશાસ્ત્રવ્યાકરણ, સ્વાશ્યવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા અનેક વિષયોના શિક્ષણ પર ભાર મુકાયો છે. શિક્ષાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીના સર્વાગી વિકાસ તરફ હોવો જોઈએ, અને તે અંગે જૈનદર્શન જાગૃત હતું. નીતિ, રીતિ અને પ્રમાણનો સમન્વય એમાં સધાતો હતો. જેને કેળવણી કહી શકાય એ અર્થનું એ જ્ઞાન હતું. પરંતુ આજે આ દર્શન “ધાર્મિક’ શબ્દના આવરણ હેઠળ નકારવામાં આવે છે, આનો હાર્દ પકડવાને બદલે આપણને મશીનમાંથી તૈયાર થતાં એકસરખા ચેતનાવિહીન ઉત્પાદનમાં રસ છે. જેથી માત્ર સમાજવ્યવસ્થા જ નહિ, દેશ પર પણ અવળી અસર પડવાની સંભાવના છે. શિક્ષણને કેળવણીમાં ફેરવવાનો આ સમય છે, ઊપલબ્ધ માહિતીના અપાર ઢગલા વચ્ચેથી ખપની માહિતી મેળવવી, એ મેળવતાં શીખવું અને એ વચ્ચેનો ભેદ કરવો એ જ મોટું કામ છે. નારાયણ દેસાઈએ કહ્યું છે તે મુજબ - “આત્માનો વિકાસ એ કોઈ પાઠ્યપુસ્તક કે ઉપદેશથી કરી શકાશે નહિ. આત્માનો વિકાસ તો શિક્ષકના ચારિત્ર્ય પરથી જ થઈ શકશે.’ અને તેથી શિક્ષકે આ બાબતમાં પાઠ્યપુસ્તકોનો આધાર શોધવાને બદલે આત્મશોધનનો જ પ્રયાસ કરવો રહ્યો. આ બાબત આપણે બહારથી નહિ. આપણા મૂળમાંથી મળશે. આપણી પરંપરામાંથી મળશે. ધર્મનો સંબંધ મનુષ્યના જીવતાં જીવન સાથે સીધો છે, માટે એના દાર્શનિક ગ્રંથોમાં જે લખ્યું છે. તેને આપણે વાચતાં અને સમજતાં શીખી ગયા હોત તો આજે જે સહુથી મહત્ત્વનો સ્તંભ છે તે અંગે આપણે ચર્ચા ન કરતા હોત, આપણે તો આપણા જ સ્તંભને અવગણી આપની જાતને પોકળ બનાવી. અન્યનાં આકર્ષણમાં આપના મૂળ સિદ્ધાંતને ભૂલી ગયા. જૈનદર્શન એ માત્ર ધર્મદર્શન નથી, પરંતુ એ જીવનદર્શન છે, એટલું સમજયા પછી આદર્શ કેળવણીનું ઉપનિષદ 9

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93