Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 228
________________ 196 કરીશ. મરેલાને જીવતા કરવાની જે તારામાં તાકાત હોય તે તારા સેવકેને, તારા ભક્તોને અને તારા પૂર્વજોને સજીવન કર. મિથ્યા બકવાસ ન કર. તારામાં રાજપાટ આપવાની તાકાત હોય તે આ તારા સેવકોને કેમ રાજ આપતું નથી ! વારંવાર તું મને મૃત્યુને ડર બતાવે છે, પણ મેતથી ડરનાર એ જુદા. જેનું આયુષ્ય બળવાન છે. એને મારવાની કેઈની તાકાત નથી. “ધમ રક્ષતિ ક્ષતાઃ” રક્ષણ કરાયેલો ધર્મ મારું રક્ષણ કરનાર છે.” કેશવને આ અડગ, નીડર અને પ્રતિજ્ઞાપાલનમાં દઢ જઈને યક્ષ કેશવના ઉપર ખૂબ પ્રસન્ન થયે. યક્ષે કેશવને આલિંગન કર્યું અને કેશવની દૃઢતાનાં ખૂબ વખાણ કર્યા. યક્ષે કહ્યું, “કેશવ! સાચી વાત છે, આ તારા ગુરુ નથી. મરેલાને જીવાડવાની મારી તાકાત નથી. હું કેઈને રાજ્ય વગેરે પણ આપી શકતો નથી.” આ પ્રમાણે જ્યારે યક્ષ છે ત્યારે મુનિના વેશમાં જમીન પર પડેલું મડદું આકાશમાગે પલાયન થઈ ગયું. કેશવને સાત દિવસના ઉપવાસ થવા છતાં અને યક્ષના ઘોર ઉપસર્ગ છતાં તે જરાય ન ડગે, ત્યારે યક્ષે કહ્યું “તુ આરામ-વિશ્રામ કર અને પ્રાત:કાળે આ બધાની સાથે પારણું કરજે.” આમ કહેતાંની સાથે તે યક્ષે તરત જ તે સ્થળે પોતાની માયાથી એક શય્યા તયાર કરી અને તેને બતાવી, જેમાં કેશવ નિરાંતે સૂઈ ગયો અને ભક્તજને. તેને પગ દબાવવા લાગ્યા. તે ખૂબ થાકી ગયા હોવાથી તત્કાળ નિંદ્રાધીન થયે.

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288