Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 269
________________ 37, ગુરૂ-આજ્ઞા પામીને શોભન મુનિ ધનપાલને સત્યને. પ્રકાશ અને તત્ત્વની શ્રદ્ધા પમાડવા ધારાનગરી પધાર્યા. ધનપાલને યોગાનુયોગ ગામના પાદરમાં ભેટ થયે,. પરસ્પર વાતચીત થતાં ધનપાલને મુનિની વિદ્વત્તા ઉપર આદર જાગ્યો અને પોતાને ત્યાં રહેવાનું સ્થાન આપ્યું.. ભિક્ષાને સમય થતાં ધનપાલને ત્યાં બે સાધુઓ ગોચરીએ ગયા....ધર્મલાભ કહ્ય... અતિથિને આંગણે. આવેલા જોઈને ગોરાણી હરખમાં આવી ગયાં. દહીંના પાત્રમાંથી દહીં વહરાવવા લાગ્યાં... ત્યાં તે મુનિશ્રીએ, પૂછયું : “આ દહીં કેટલા દિવસનું છે? ગોરાણીએ ઉત્તર: એમ મુનિએ કહ્યું ત્યાં તે ધનપાલે કહ્યું, “શું મહારાજ, આમાં જીવડાં પડી ગયાં છે?” હા, મુનિ નીડરપણે બોલ્યા. ધનપાલે કહ્યું. તે બતાવે મહારાજ ! કયાં જીવડાં છે? મુનિએ સર્વજ્ઞના વચનની સમજણ આપી. જીવડાં જેવાં માટે ધનપાલે દહીંમાં અળતાનું ચૂર્ણ નાંખ્યું કે તરત જ ખદબદ કરતા કીડાઓ જોયા અને સર્વજ્ઞના વચન ઉપર વિશ્વાસ બેઠે અને અહોભાવ જાગે.. જૈન મુનિની કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ અને ખાનપાન અંગે. કેટલી જીવરક્ષાની કાળજી ! પછી ગેરાણે ઘરમાંથી તાજા લાડવાને થાળ લાવ્યાં..... ત્યાં તે મુનિશ્રીએ કહ્યું કે આ લાડું પણ અમને કહપે. એવા નથી. ગોરાણી તે ધનપાલ સામે જોઈ રહ્યા ! લુડવા ભણી આગળ ચીંધતાં ધનપાલ બોલ્યા, . મપરાજ લાડાણાં ફેર છે ?

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288