Book Title: Vishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04 Author(s): Gunhansvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 8
________________ આ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ - શ્રમણ સંસ્થાને વગોવવામાં આવે અને એ રીતે એની પ્રભુતા ખતમ કરવામાં આવે તો એમાં નુકસાન સુશ્રમણોને નહિ, પણ જિનશાસનને - સંઘને ચોક્કસ થાય. એટલે જ સુશ્રમણો પોતાની પ્રભુતાની લાલચવાળા તો બિલકુલ નથી જ, છતાં તેઓ શ્રમણોની પ્રભુતા - પ્રધાનતા જળવાઈ રહે એ તો ઈચ્છે છે જ. કેમકે એમાં જ સંઘનું હિત છુપાયેલું છે. સાર એટલો જ કે કુકાળ-કુનિમિત્તાદિના કારણે જૈન શ્રમણોમાં પણ ક્યાંક ક્યારેક અણઘટતી બાબતો બની હોય, બનતી હોય... પણ એટલા માત્રથી શ્રીસંઘમાં આખીય શ્રમણસંસ્થા વગોવાય, શ્રીસંઘમાં શ્રમણોની પ્રધાનતા પર પ્રહાર થાય, ગૃહસ્થોની પ્રધાનતા વધતી જાય એ શ્રીસંઘના હિતમાં નથી જ. આ માટે સૌથી જરૂરી બાબત એ છે કે શ્રાવક-શ્રાવિકા વગેરેના મનમાં સાધુ-સાધ્વીઓ પ્રત્યેનો સદ્ભાવ-બહુમાનભાવ અકબંધ રહે, વધે... જો એમ થાય તો જ તેઓ સદાય માટે શ્રમણ-શ્રમણીઓના માર્ગદર્શન મુજબ જ પ્રવૃત્તિ કરે અને તો જ સંઘનું હિત સચવાય. વળી ક્યારેક તો એવું પણ બને છે કે કેટલાક મુગ્ધ સાધુ-સધ્વીઓ પણ કોઈક કોઈક પ્રસંગો સાંભળીને એમ માનતા થઈ ગયા છે કે “હવે આપણો શ્રમણ સંઘ લગભગ ખલાસ થઈ ચૂક્યો છે...” આમ ખુદ કેટલાક શ્રમણ-શ્રમણીઓ પણ પોતાના જ ઘર ઉપરની શ્રદ્ધા ગુમાવી બેસે છે. હંમેશાં ખરાબ વાતો વધુ બહાર આવતી હોય, વધુ ફેલાતી હોય એટલે એ બધી વાતોની અસર જલદી થાય એ સ્વાભાવિક છે. આ તમામને વાસ્તવિકતા દર્શાવવી એ અત્યંત મહત્ત્વનું કાર્ય છે. એમને એ જણાવવું જરૂરી છે કે “જ્યાં સમાજના લગભગ પ્રત્યેક ઘટકમાં ૫% શુદ્ધિ બચી છે, ત્યાં આ શ્રમણસંઘમાં ૭૫% થી ૮૦% શુદ્ધિ અકબંધ છે, એ વાત તમે ન ભૂલો.” એમને એ જણાવવું જરૂરી છે કે “આજે પણ આવી ભયંકર અવસ્થામાં પણ સેંકડો શ્રમણ-શ્રમણીઓ આશ્ચર્યજનક-બહુમાનજનક-અગાધ સદ્ભાવજનક બેનમૂન આરાધના કરી રહ્યા છે. આવા ઉત્તમ શ્રમણશ્રમણીઓથી ભરેલા સંઘ પ્રત્યે ઉપેક્ષા-તિરસ્કાર-નિંદાભાવ બિલકુલ ઉચિત બની શકતો નથી.” આ જણાવવા માટે, શ્રમણ-શ્રમણીસંઘ પ્રત્યે ચતુર્વિધ સંઘને ઉત્કૃષ્ટ, વાત્સલ્યવાળો, આદરવાળો, સભાવ-સન્માનવાળો બનાવવા માટે આ પુસ્તિકામાં કુલ જુદા જુદા શ્રમણ-શ્રમણીઓના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. આશરે ૬૦ જેટલા પ્રસંગો ચોથા ભાગમાં લેવામાં આવ્યા છે. જૈનસંઘના પ્રત્યેક સભ્યોએ આ અવશ્ય વાંચવું જોઈએ અને એ વાંચીને મનમાં ભરાયેલી ખોટી ખોટી વાતોને દૂર ફગાવવી જોઈએ. કોઈક દોષવાળાઓની નિંદા કરવાને બદલે આવા ઉત્તમોત્તમ સંયમીઓની હાર્દિક પ્રશંસા એ જ સ્વપકલ્યાણનો નિર્દોષ માર્ગ છે. આમાં નીચેની વિશેષતાઓ ધ્યાનમાં રાખવી (૧) લગભગ તમામે તમામ પ્રસંગો વર્તમાન કે નજીકના જ ભૂતકાળના સાધુ-સાધ્વીજી ભગવંતોના છે. બહુ જૂના પ્રસંગો લગભગ લીધા નથી તથા ગૃહસ્થોના પ્રસંગો પણ માંડ ૪-૫ લીધા છે. (૨) આ દરેક બાબત તદન સત્ય છે. એમાં અમે જરાય વધારી વધારીને લખ્યું નથી. અણુનો મેરુ બનાવ્યો નથી. હા, કેટલાક પ્રસંગો દ્વેષ-નિંદાદાદિના નિમિત્ત ન બને એ હેતુથી થોડાક બદલીને લખ્યા છે. (૩) વિરતિદૂત પરીક્ષામાં એક પ્રશ્ન પૂછેલો કે “સાધુ-સાધ્વીજીઓ પોતાના જીવનમાં અનુભવેલા સુંદર પ્રસંગો અમને લખી મોકલે.” આશરે અઢીસો-ત્રણસો સંયમીઓએ પરીક્ષા આપી. પોતાના જીવનમાંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 128