________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૫
કેઈ ધમકાવે ત્યારે બુદ્ધિમાને પિતાની બુદ્ધિ તત્વાર્થ શોધવામાં મુકવી, જે સાચો ઠપકે હોય તે ક્રોધ શું કામ કરવો ! બેટે ઠપકે હોય તે પેતાને લાગુ ન પડવાથી શા માટે લક્ષજ આપવું! અર્થાત બંને રીતે ક્રોધ ન કરે.
તથા બીજા કે પોતાના કરતાં વધારે પાપી હોય તેવાએ પણ પ્રેરણા કરી હોય, તે જૈન ધર્મના આધારે કે લેક વ્યવહારની નીતિઓ બંધ કર્યો હોય, તે પરમાર્થ વિચારીને તેના ઉપર ક્રોધ ન કરે, તેમ તેને લાકડી વિગેરેથી પીડા ન કરવી, તેમ તેને કડવું લાગે તેવું કઠોર વચન પણ ન કહે. પણ મનમાં વિચારે કે મેં જ્યારે આવું અકાર્ય કર્યું ત્યારે આવો માણસ પણ મને નિંદે છે, જે તને નિદાથી ખોટું લાગતું હોય તે હવે આવું કાર્ય ન કરવું, પણ પૂર્વાચાર્યોએ જે પ્રમાણે સારું કાર્ય કર્યું છે તેવું મારે કરવું, પણ અકાર્ય ન કરવું, એ વાક્ય હું ગખીને તે પ્રમાણે વર્તીશ, એવી રીતે મધ્યસ્થ બનીને દરેકનું વાક્ય સાંભળીને સારું વર્તન રાખે, અને અકાર્યનું મિથ્યાદુષ્કૃત દે, તથા તેમના આગળ બેલે કે. આ મને ઠપકે નથી પણ મારું ખરૂં કહ્યા છે, આવી શર્ત આપ ઠપકો આપશો તેજ સાધુ પ્રમાદ નહીં કરે, ન અકાય