________________
ઉપઘાત છે. એના ત્રણ ઉગ છે. તેમાંના પહેલા ઉસર્ગનું પહેલું સુત્ત (સૂત્ર) એ આ વ્યાખ્યાનનું ઉદ્દભવસ્થાન છે.
આ ઠાણ નામના આગમમાં પહેલા અજેમણમાં એકની સંખ્યાવાળા પદાર્થોનું, બીજામાં બેની સંખ્યાવાળાનું એમ દસમામાં દસની સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ છે. આમ આ આગમ એક રીતે સમવાયની લીનું મંડાણ કરે છે. આ પ્રમાણેની વર્ગીકરણની વ્યવસ્થા ના અંગુત્તરનિકામાં જોવા મળે છે.
બધાં અંગમાં કાણુ એમાં નિરૂપાયેલી લેકેત્તર વિષયની જ નહિ પણ લૌકિક બાબતેની વિવિધતાને લઈને મહત્વનું સ્થાન ભેગવે છે. આ ઠાણ ઉપર અભયદેવસૂરિએ સંસ્કૃતમાં વિ. સં. ૧૧૦માં ટીકા રચી છે. આમાં વિષયના વૈવિધ્યને લીધે એમણે પિતાને જ્ઞાનભંડાર ઠાલવવાને અમૂલ્ય સુગ સાંપડ્યો છે અને એમણે એનો લાભ લીધે છે એથી તે એમની આ ટીકા એમની અન્ય અંગાદિની ટીકાઓ કરતાં ચડિયાતી બની છે. વળી આ ટીકા એમની બીજી બધી ટીકાઓ કરતાં પહેલી રચાઈ હોય એમ લાગે છે.
ઠાણના પાંચમા અન્ઝયણના પ્રથમ ઉસગગત નિમ્નલિખિત સુત્ત (સં. સૂત્ર) આ વ્યાખ્યાનો વિષય છે -
૧ આ તેમજ અન્ય ઉપલબ્ધ થતા અનુપલબ્ધ આગામોની માહિતી માટે જુઓ મારું પુસ્તક નામે આગમનું દિગ્દર્શન.
૨ ઠાણ ઉપર આ ટીકા રચાઈ તે પૂર્વ કઈ જાતનું વિવરણ લખાયું હોય એમ જણાતું નથી, તેમાં અભયદેવસૂરિ જાતે કહે છે કે આ સંબંધમાં મને કોઈ પ્રાચીન સાધન મળ્યું નથી.