________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર રહીને.... પંચાંગ અર્થાત્ માથું, હાથ અને ઢીંચણ જમીનને અડાડીને તિખુત્તો” ના પાઠ વડે કરવામાં આવતું વંદન.
(૩) ઉત્કૃષ્ટ : દ્વાદશાવર્ત વંદન. દ્વાદશાવર્ત એટલે બાર આવર્તનવાળું વંદન.
પ્રતિક્રમણ સૂત્રના “ઈચ્છામિ ખમાસમણો!' ના પાઠથી ત્રીજા વંદન આવશ્યકમાં (દ+ ૬ = ૧૨) બાર આવર્તન વડે કરવામાં આવતું વંદન.
પ્રશ્ન ૨૬:- ગુરુવંદનનો પાઠ કયા સૂત્રમાં છે?
ઉત્તર :- ગુરુવંદન (તિખુરો)નો પાઠ ભગવતીસૂત્ર, ઉવવાઈયસૂત્ર, રાયખસેણીયસૂત્ર આદિ સૂત્રોમાં છે.
(૩) ઇરિયાવહિયં - આલોચના - સૂત્ર પ્રશ્ન ૨૭:- “ઈરિયાવહિયં’ને “આલોચના'નો પાઠ શા માટે કહે છે ?
ઉત્તર :- આ પાઠથી જીવ-વિરાધનાની આલોચના કરવામાં આવે છે. તેથી “આલોચન-સૂત્ર' કહેવાય છે.
પ્રશ્ન ૨૮:- વિરાધના કોને કહે છે?
ઉત્તર :- વ્રતને દૂષિત કરવાવાળી પ્રવૃત્તિથી વિરાધના થાય છે. શાસ્ત્રવિધિ અનુસાર આચરણ ન કરવું તે વિરાધના છે.
પ્રશ્ન ૨૯:- ઈરિયાવહિયંના પાઠમાં ચાલવાથી થવાવાળી ક્રિયાની આલોચના શા માટે કરવામાં આવી?
ઉત્તર :- ચાલવાથી થવાવાળી ક્રિયાની તેમજ ઉપલક્ષણથી અન્ય બધી ક્રિયાઓની આલોચના પણ સમજી લેવી જોઈએ.
પ્રશ્ન ૩૦:- જીવ વિરાધના કેટલા પ્રકારે થાય છે?
IIIIIIIIIIIIIIINITIHITIHIBITIHITHI
( ૧૬
) [lahililtilal li[l
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org