Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 217
________________ ૫,૫ જ.૫ પ્ર. જ.. ૫.૭ ૪.૭ પ્ર.૧ જ.૧ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર અશાંતિનું કારણ છે, તેનાથી કલહ, હિંસા, બેઇમાની વગેરેનો પ્રાદુર્ભાવ (દુષ્ટભાવ) થાય છે. અપરિગ્રહવ્રતનું પાલન કરવાથી શું લાભ થાય છે ? ઇચ્છાજનક સંકલ્પ, વિકલ્પથી મુક્તિ મળે છે. વર્તમાનમાં પ્રાપ્ત હોય તે ધન આદિમાં આસક્તિ મંદ બને છે. તેના અભાવમાં પણ સંતોષ મળે છે. શાંતિથી ઉંઘ આવે છે. વગેરે અનેક લાભ છે. પરિગ્રહ ઓછો કરવા માટે શું ચિંતન કરવું જોઇએ ? પરિગ્રહ પાપનું કારણ છે. તેથી સંપૂર્ણ અપરિગ્રહી ક્યારે બનીશ ? આ મનોરથ ચિંતવવો. પરિગ્રહમાં આસક્તદુર્યોધન, કોણિક વગેરે તથા પરિગ્રહત્યાગી ભરત ચક્રવર્તી, ધન્નામુનિ, અર્હન્નક વગેરેના ચારિત્ર પ્રત્યે ધ્યાન દોરવું. આ વ્રતમાં અતિચાર અને અનાચાર કેવી રીતે લાગે છે ? જે – જે બોલોની જેટલી મર્યાદા કરી હોય. તેનું બેપરવાહીથી અજાણ્યે હિસાબ – કિતાબ નહીં મેળવવાથી ઉલ્લંધન થયું હોય તો આ બધી મર્યાદાઓનો અતિચાર છે. ઉપયોગપૂર્વક લોભ આદિને કારણે જાણી જોઇને મર્યાદાઓનું ઉલ્લંધન કરવું અનાચાર છે. ૬. દિશા પરિમાણ વ્રત દિશા પરિમાણવ્રત કેટલાં પ્રકારનાં છે ? દિશાઓ છ છે. જે દિશામાં જેટલું જવું પડે તેટલી મર્યાદા ક૨વી. જેમકે – ઊંચા પર્વત પર કે હવાઇ જહાજથી અમુક કિ.મી.થી વધુ ઉંચે નહીં જઉં. તળધરમાં, ખાણમાં આટલા હાથથી નીચે નહીં જઉં. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં આટલા Jain Education International ૨૦૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266