Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 222
________________ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર H જ. ૩. જે કાર્ય સ્વના, (પોતાના) પરિવારના, સગા-સંબંધી, મિત્રો વગેરેના હિતમાં ન હોય, જેનું કોઈ પ્રયોજન ન હોય અને વ્યર્થમાં આત્મા પાપોથી દંડિત થાય તેને અનર્થદંડ કહે છે. અનર્થદંડ અંતર્ગત આવનારા કેટલાંક કાર્યો જણાવો. જેમ કે વિકથા કરવી, ખરાબ-ખોટો ઉપદેશ આપવો, અર્થહીન વાતો કરવી વગેરે પ્રવૃત્તિઓ અનર્થદંડ કહેવાય છે? પ્ર. ૫. અવાણાચરિએ (અપધ્યાનાચરિત) કોને કહે છે ? જ. ૫. કારણ વિના આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરવું અથવા કારણથી તીવ્ર આર્તધ્યાન કરવું અપધ્યાનાચરિત કહેવાય છે. ક્રોધમાં પોતાનું માથું ફોડવું, કારણ વિના જ દાંત પીસવા, જૂની વાતોને યાદ કરીને રોવું, શેખચલ્લીની જેમ ભૌતિક સુખ મેળવવા માટે કલ્પનાઓની ઉડાનો ભરવી એ અપધ્યાનાચરિત છે. પમાયાચરિએ (પ્રમાદાચરિત) કોને કહે છે ? પ્ર. ૪. જ. ૪. પ્ર. ૬. જ. ૬. - પ્રમાદપૂર્વક આચરણ ક૨વું એટલે મઘ, વિષય, કષાય, નિંદ્રા અને વિકથામાં લાગેલા રહેવું તથા આળસથી કાર્ય કરવું. જેનાથી જીવોની હિંસા થાય. જેમ કે - જોયા વિના ચાલવું, ફરવું, વસ્તુ ઉપાડવી, રાખવી. પાણી, તેલ, ધી વગેરે તરલ પદાર્થોના વાસણ ખુલ્લા મૂકી દેવા વગેરે પ્રમાદાચરિત છે. હિંસપ્પયાણું (હિંસાપ્રધાન) કોને કહે છે ? પ્ર. ૭. જ. ૭. હિંસા આદિ પાપોના સાધનો, અસ્ત્ર-શસ્ત્ર આદિ અથવા તેના સંબંધી સાહિત્ય બીજાને આપવું હિંસપ્પયાણં કહેવાય છે. પ્ર. ૮. પાવકમ્મોવએસં (પાપકર્મોપદેશ) શું છે ? જ. ૮. પાપ કાર્યોનો ઉપદેશ આપવો, પાપ કાર્યોની પ્રેરણા આપવી એ પાપકર્મ ઉપદેશ કહેવાય છે. Jain Education International ૨૧૪ Kartik For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266