________________
જ.૩
IIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર - TTTTT ||
જાતનો વિપર્યાસ થયો હોય, તે બધાને માટે પશ્ચાત્તાપ કરવાનું, મિચ્છામિ દુક્કડમ્ દેવાનું વિધાન આ પાઠમાં કરવામાં આવ્યું
છે. તેથી તેને નિંદ્રાદોષ નિવૃત્તિનો પાઠ કહેવામાં આવે છે. પ્ર. ૨ વિપર્યાસ એટલે શું? જ. ૨ કોઈ પણ પ્રકારની સંયમ વિરુદ્ધની વૃત્તિ કે પ્રવૃત્તિ એટલે
વિપર્યાય -મનમાં વિકારભાવ આવવો ““મનોવિપર્યાસ'' તથા રાત્રે ભોજન-પાણીની ઇચ્છા એ ““પાન ભોજન વિપર્યાસ'
છે. પ્ર.૩ નિદ્રાદોષ નિવૃત્તિનો પાઠ ક્યારે બોલવો જોઈએ?
સંધ્યાકાળે, પ્રાત:કાળે પ્રતિક્રમણમાં બોલવા સિવાય, જ્યારે પણ સાધક સૂઈને ઉઠે, તેણે નિંદ્રાદોષ નિવૃત્તિનો પાઠ અવશ્ય બોલવો જોઇએ.
ગોચર - ચર્યા સૂત્ર પ્ર.૧ ગોચરી (ગોચરચર્યા કોને કહે છે?
જે રીતે ગાય વનમાં એક એક ઘાસનું તણખલું મૂળમાંથી ન ઉખાડતાં ઉપરથી જ ખાઈને ફરે છે, પોતાની ભૂખ સંતોષે છે અને ગોચરભૂમિ તથા વનની હરિયાળીને પણ નષ્ટ કરતી નથી, તે જ રીતે મુનિ - સાધુ પણ કોઇ ગૃહસ્થીને પીડા ન આપતાં – બધાને ત્યાંથી થોડો થોડો આહાર ગ્રહણ કરીને પોતાની ભૂખપૂર્તિ કરે છે. ગાયના જેવી સાધુની આ ચર્યાને ““ગોચરી'' કહે છે. દશવૈકાલિકસૂત્ર અધ્ય-૧માં આને માટે મધુકરભમરાની ઉપમા આપી છે. ભમરો પણ ફૂલોને કંઈ પણ નુકસાન કેદુ:ખ આપ્યા વિના થોડો-થોડો રસ ગ્રહણ કરીને આત્મસંતોષ પ્રાપ્ત કરે છે અને સંગ્રહ કરતો નથી.
જ. ૧
કર
તા
11:11IIBIHIT THI
SAHITI
( ૨૩૬ )
[HIBIHI !!1}I!ITHin5.84ની 11Hllaa thai
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org