Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 259
________________ 'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પ્ર.૨ નિગ્રંથનો અર્થ શું છે? નિગ્રંથનો અર્થ છે – ધન ધાન્ય વગેરે બાહ્યગ્રંથ અને મિથ્યાત્વ અવિરતિ તથા ક્રોધ, માન, માયા, લોભ વગેરે આવ્યંતર ગ્રંથ. અર્થાત્ પરિગ્રહથી રહિત પૂર્ણ ત્યાગી સંયમી સાધુ. જે રાગ - વૈષની ગાંઠને હંમેશને માટે છોડી દે છે, તોડી દે છે તે જ સાચા નિગ્રંથ છે. અહીં નિગ્રંથ શબ્દનો આ જ અર્થ કરવામાં આવ્યો છે તેથી સાચા નિગ્રંથ અરિહંત અને સિદ્ધ છે. પ્ર.૩ પ્રવચન કોને કહે છે? જ. ૩ જેમાં જીવાદિ પદાર્થોનું અને જ્ઞાનાદિ રત્નત્રયની સાધનાનું યથાર્થરૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે, તે સામાયિકથી લઈને બિંદુસાર પૂર્વ સુધીનું આગમ સાહિત્ય પ્રવચન કહેવાય છે. પ્ર.૪ નિગ્રંથ પ્રવચન વિશે આપનો શો અભિપ્રાય છે? જ.૪ નિગ્રંથ પ્રવચનનો અર્થ છે – અરિહંતોનું પ્રવચન એટલે કે જિનધર્મ. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર અને સમ્યક તપરૂપી મોક્ષમાર્ગ જ જિનધર્મ છે. જૈનધર્મનો મહિમા બતાવવા માટે કયા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? જ. ૫ અહિંસાપ્રધાન જૈનધર્મને માટે વાપરવામાં આવેલ વિશેષણ સર્વથા યોગ્ય છે. (૧) સચ્ચે (સત્ય) - રત્નત્રયરૂપ જૈનધર્મ સત્ય છે. (૨) અણુતર (અનુત્તર) જૈનધર્મસર્વોત્તમ છે. (૩) કેવલિય - જૈનધર્મના સમ્યક્દર્શન વગેરે તત્ત્વો અદ્વિતીય છે, સર્વશ્રેષ્ઠ છે. આ ધર્મ કેવળજ્ઞાનીઓ દ્વારા કહેવાયેલો છે. તેથી સંપૂર્ણ સત્ય છે, ત્રિકાળ અબાધિત છે. (૪) પરિપુર્ણ – જૈનધર્મ એક પરિપૂર્ણ ધર્મ છે. કોઇપણ પ્રકારે ખંડિત થયેલો નથી. અને મોક્ષ પમાડનારા સગુણોથી સંપૂર્ણ ભરેલો છે. (પ) નેઆઉયું – જૈનધર્મ મોક્ષમાં લઈ જનાર છે. સમ્યક્દર્શન વગેરે જૈનધર્મ HITIHI RISHITESHBHAI BHIKHI THill III (૨૫૧ D ailyHAIHtfital[[li atifiliH ICICIAL CHE HEIGHTEEE પ્ર.૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266