Book Title: Sadhakno Antarnad Part 2
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 161
________________ યોગ છે સહાયક તરીકે. માટે તેને યોગ કહેવાય છે. કર્મ બંધનમાં જોડે છે ત્યારે તેને અશુભ યોગ કહેવાય છે, કર્મ મુક્તિમાં જોડે ત્યારે શુભ યોગ કહેવાય છે. તે યોગને જોડવામાં પ્રેરક આત્મા છે. માટે કર્મ બંધનમાં પડેલો આત્મા શુભાશુભમાં પ્રેરે છે. પરંતુ જો આત્મા પોતાની શક્તિને યાદ કરે અને કર્મની શક્તિને આધીન ન બને તો તે શક્તિથી અશુભમાં પ્રેરાતો અટકી શુભમાં પ્રેરાય છે અને શુભમાં કર્માધીન બની પ્રેરાતો અટકી અશુભમાં પણ પ્રેરાય છે. કારણકે આ અવસ્થામાં તો આત્માની શક્તિ આવરણયુક્ત છે. રાગ, દ્વેષ, મોહનાં જાળાં લાગેલાં છે માટે તેનું શુભનું પ્રવર્તન કે અશુભનું પ્રવર્તન કયાં કેવી રીતે થઈ જાય છે તે સમજ મેળવવી જોઈએ. તે સમજ સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થતાં આવે છે. તે દૃષ્ટિ મોટે ભાગે ધર્મ શ્રવણથી થાય છે. ધર્મ માટે ગુરુ શોધવા જોઈએ અને શ્રવણ માટે શ્રોતા બનવું જોઈએ. ગુરુ અને શ્રોતાના લક્ષણ જાણી તે ઓળખવા જોઈએ અને શ્રોતા બનવું જોઈએ. હવે મૂળ વાત મન, વચન, કાયા એ યોગ છે, યોગ એકલા જડ છે. પરંતુ તે એકલા હોય ત્યારે યોગ નથી કહેવાતા પરંતુ જડ, પુદ્ગલ, સ્કંધો કહેવાય છે. દા.ત. ઔદારિક પુદ્ગલો વગેરે યોગ તો તે મન, વચન, કાયા ઉપયોગનો સાથ કરે છે ત્યારે બને છે. માટે જ ઉપયોગ શુભ તો યોગનું શુભ પ્રવર્તન, ઉપયોગ અશુભ તો યોગનું અશુભ પ્રવર્તન. માટે મુખ્યતાએ ઉપયોગ શુભાશુભ બને છે ત્યારે યોગનું પ્રવર્તન શુભાશુભ બને છે. ઉપયોગ એ શું છે ? આત્માની જ એ શક્તિ છે. ‘ઉપયોગો લક્ષણમ્' ઉપયોગ આત્માનું લક્ષણ છે તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય સ્વરૂપ છે. મુખ્યતાએ બે ઉપયોગ શાનોપયોગ, દર્શનોપયોગ. જાણવું અને જોવું એ આત્માનો સ્વભાવ છે. જાણી જોઈને હરખાવું એ ત્રીજો સ્વભાવ એમાંથી પ્રગટે છે. આ ઉપયોગ દ્વારા મન વિચારી શકે છે, વચન ઉચ્ચારી શકે છે, કાયા પ્રવર્તી શકે છે. માટે જ યોગનું પ્રવર્તન ઉપયોગને આધારે છે. તે શુભ તો પ્રવર્તન શુભ, તે અશુભ તો પ્રવર્તન અશુભ. ઉપયોગ શુભાશુભ શાથી બને છે ? ઉપયોગ દર્પણ જેવો છે. તે પોતે મૂળ સ્વભાવે શુભાશુભ નથી, તેની પાસે જેવી વસ્તુ ધરો તેવો તે બને અને રાગ, દ્વેષ, મોહથી શુભાશુભ બને. પ્રશસ્ત રાગાદિથી શુભ બને, અપ્રશસ્ત રાગાદિથી અશુભ બને છે. જો કે શુભાશુભ ઉપયોગ એ પણ ઉપયોગની વિકૃતિ છે તે દર્પણ જેવો મનાય. પરંતુ શુદ્ધનું પ્રતિબિંબ નિર્વિકાર હોવાથી પડતું નથી, તેથી જે શુદ્ધ બનેલા છે તેને જિન પ્રતિમાદિ શુભાકાર આપીને ઉપયોગમાં પ્રતિબિંબિત કરવામાં આવે તો અશુભ વિકૃતિ ટળે અને શુદ્ધનું ધ્યેયાલંબન લઈ નિર્વિકાર બનવા પ્રયત્ન કરે. ત્યારે જ સાધક દશા પ્રાપ્ત થાય અને યોગનું પ્રવર્તન શુભ બની તે યોગથી મુક્તિ મળે. આ યોગથી મુક્તિ મેળવવા માટે યોગ સાધના કરવી પડે તે સાધના આગળ વિચારીશું. યોગ સાધકનો અંતર્નાદ 141 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256