Book Title: Sadhakno Antarnad Part 2
Author(s): Padmalatashree
Publisher: Pooja Rohit Doshi

View full book text
Previous | Next

Page 227
________________ આયુષ્ય એ પુણ્ય છે તે ભોગવાય છે, અને જેટલું છે તેટલું ભોગવવાનું છે, જયાં જશો ત્યાં પણ નવું આયુષ્ય તૈયાર છે. જયાં સુધી મોક્ષ નહિ થાય ત્યાં સુધી જન્મ-મરણની પરંપરા ચાલુ રહેવાની. માટે જેમ હાલમાં મૃત્યુનો ભય નથી તેમ, જીવાય ત્યાં સુધી મૃત્યુનો મહોત્સવ માંડવાનો છે તેની તૈયારી આત્મા પાસે કરાવવાની છે માટે બધી જ અવસ્થામાં સમભાવ કેળવજો. જીવતાં અને મરતાં જેને સમાધિ તેને સદ્ગતિ નક્કી. મરણ આવે તો તૈયાર છું, જીવાય તો વિરતિમાં છું અરિહંત પરમાત્મા મારા હૃદયમાં છે આટલો જ વિચાર કરવો. બીજો કોઈ વિચાર હૃદયમાં પ્રવેશવા દેવો નહિ હંમેશાં એ જ વિચાર કરવો. અહાહા, મને નમસ્કાર મહામંત્ર મળ્યો ! અરિહંત પરમાત્મા મળ્યા ! ગુરુ મળ્યા ! ધર્મ અને પ્રભુની આજ્ઞા પાળવાની બધી સામગ્રી મળી ! મારો જન્મ સફળ થઈ ગયો વગેરે..... . સુશીલાબહેન - ધર્મલાભ ! મણીબહેનને કહેશો કે બીજો કોઈ વિચાર અશક્તિ કે પીડાને લીધે આવે ત્યારે કર્મ બાંધેલાં છે તે જાય છે, ભલે જતાં, હવે ખાસ સમાધિની ચોક્સાઈ રાખવી. આર્ત ધ્યાન ન થઈ જાય તે માટે કાળજી રાખવી. શરીરનું કામ શરીર ભલે કરે, મારાં કર્મ ખપે છે અને હું હલકો થાઉં છું, મને એ કર્મ ખપાવવામાં અરિહંત ભગવાન સહાય કરી રહ્યા છે. સાધકનો અંતર્નાદ ૯ Jain Education International જે.વ. ૬ ભાવપૂર્ણાશ્રીજીના ધર્મલાભ. મણીબહેનને આત્મ જાગૃતિ કેવી છે ? શું વિચારો આવે છે ? બધાની સાથે ક્ષમાપના હંમેશા કરતાં હશો. ચિત્ત અરિહંતમય બની ગયું છે ને ? તમે મહા પુણ્યશાળી છો, કરવા જેવું ઘણું જ કર્યું છે, હવે તમારું ચિત્ત સહેજ પણ શરીરની પીડામાં જાય તો તરત સારું વાંચન સાંભળવું તેથી તે તમને સજાગ રાખી શકે. શરીરની પીડા એ કાયમી નથી. પીડા એ તો દેહને છે. આત્માને કંઈ થતું નથી. નારકીના જીવો કેટલી પીડા ભોગવતા હશે ? અત્યારે પણ હોસ્પીટલમાં રહેલા દર્દીઓ કેટલી પીડા ભોગવે છે ? એ આંખ સામે રાખવું. જેથી આ પીડા આપણને દુઃખ રૂપ નહિ બને. સહન શક્તિ વધશે. તમારી સમાધિ અને સમતાની અનુમોદના કરીએ છીએ. જે.વ. ૯ For Private & Personal Use Only 207 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256